ડોક્ટર ભાવિન કદાવાલા એ જણાવિયા મુજબ દર્દી રાખોલિયા સંજયભાઈ ધીરૂભાઇ ઉમર વર્ષ- ૩૫, ગામ આંબરડી (જોગીદાસ) ની તાલુકો સાવરકુંડલા ના વતની ને છેલ્લા ૮ વર્ષ થી સ્ક્રિઝોફ્રેનીયા ની બિમારી થી પીડિત હતા. તે બિમારી ના લક્ષણ ને જોઈએ તો નવા નવા આવઝો આવવા, બીક બોવજ લાગે, ભયના કારણે ધરની બહાર નીકળી ના શકે, ઓળખીતા લોકો ના અવાજ આવે, આપડા વિચારો કોકબીજા સાંભળતા હોય તેવું લાગે, ખરાબ ખરાબ વિચારો સતત આવ્યા કરે, આવા પ્રકાર ના લક્ષણો થી પીડીત હતા. તેમણે ધણીબધી મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ તે જ્યાવેલ જેવીકે રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ, મહુવા આ બધી હોસ્પિટલ ફરી વળિયા હતા પણ દર્દી બે એક પણ પ્રકાર ની રાહત જણાતી ના હતી.
અંતે શાંતાબા જનરલ હોસ્પિટલ નું જાણથતા દર્દી એ મુલાકાત કરેલ પણ જયારે પહેલી વખત દર્દી સંજયભાઈ રાખોલિયા ને લૈયાવીયા હતા તેઓ કંટ્રોલ બાહાર હતા. આ બિમારી ના કારણે પહેલા તો ત્રણ થી ચાર લોકો સાથે આવેલ પણ શાંતાબ હોસ્પિટલ ની સારવાર મળતા હાલ તે તેનું બાઈક લઇને એકલા આવી શકે છે. અને દર્દી બિમારી પહેલા હીરા ધસવાનું કામ સાથે સંકળાયેલા હતા છેલ્લા ૧૦ વર્ષથી કામપણ મૂકી દીધું હતું. તેની ધરની પરીસ્થિતિ ખુબજ કફોડી થઈગય હતી. પણ આજ દર્દી સાજુ થતા તેઓ ઓઈલ મિલ માં કામ કરવામાં સક્ષમ થઈ ગયેલ છે. અને દર્દી ને એક વ્યસન હતું તે છેલ્લા ૧૦ વર્ષથી માવા ફાકી નું વ્યસન હતું.તે પણ આજ મુકાયગયેલ છે.
શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે અસરકારક સારવાર મેળવ્યા બાદ સામાન્ય જીવન જીવી શકાય તેવું નવજીવન મળતા દર્દી સંજયભાઈ તથા તેમના પિતા ધીરૂભાઈએ માનસિક રોગ નિષ્ણાંત ડો.ભાવિન ક્દાવાલા તથા વિનામૂલ્યે ઉત્તમ ક્ક્ષાની સારવાર ની સુવિધા ઉભી કરવા બદલ ગજેરા ટ્રસ્ટના ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા નો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…
Recent Comments