ભાવનગર

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત  નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૩ માર્ચ  ૨૦૨૩ નાં રોજ ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૫૪  ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને 75 બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી અંકિતાબહેન ભટ્ટ  , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી દીપાબહેન જોષી ,શ્રી યોગેશભાઈ શાહ   તથા નિરમા લિમિટેડ ઓફિસર શ્રી ચેતનભાઈ પંડ્યા અને HR ડિપાર્ટમેન્ટના શ્રી ઘનશ્યામભાઈ બેલડીયા તથા  ગામનાં સરપંચ શ્રી જગાભાઈ તથા આચાર્ય શ્રી વિક્રમસિંહ મોરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..

આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક  શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..

Follow Me:

Related Posts