દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કુલ દામનગર માં અતિથી તરીકે જાણીતા લોક સાહિત્યકાર હકુદાનભાઈ લીલા દ્રારા આજ ના યુગ માટે અતિ જરૂરી સંસ્કાર સિંચન અને જીવન ઘડતર ઉપયોગી સાહિત્ય નું અણમોલ પ્રદાન રજૂ કરવામાં આવેલ હતું.આ સાહિત્ય માં લોકગીત, દોહરા, છપકડા,તેમજ ચારણ કન્યાનો ભૂતકાલીન ભવ્ય ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. શાળા ના તમામ કર્મચારીઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. શાળા ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પાર્થેશભાઈ ત્રિવેદી દ્રારા વિદ્યાર્થીઓ માં ઉમદા ગુણો નું આવિષ્કાર થાય તેવા વિનમ્ર પ્રયાસ કરવામાં આવેલ.. શાળા ના શિક્ષક શ્રી આર. એમ. ત્રિવેદી સાહેબ દ્રારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.
શેઠ શ્રી એમ સી મહેતા હાઇસકુલ માં હકુદાનભાઈ લીલા ની અધ્યક્ષતા માં સંસ્કાર સિંચન અને જીવન ઘડતર ઉપયોગી સાહિત્ય શિબિર યોજાય

Recent Comments