સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ, જસ્ટિસ એસ. કે. કૌલ, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલી સહિતના પાંચ જજની બંધારણીય બેંચ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે મંગળવારથી સજાતીય લગ્ન મામલે દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી કરી હતી. મામલાની સુનાવણી શરૂ થતા જ મામલો ગરમ થઈ ગયો હતો. કેન્દ્ર સરકારે આ અરજીઓની સુનાવણી માટે સ્વીકાર્યતા માટે ફરીથી સવાલ ઊભા કર્યા હતો. આ દરમિયાન સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અરજીઓ પર સુનાવણી શરૂ થતા પહેલા સ્વીકાર્યતા પર તેમની મનાઈના ફરમાનને સાંભળવું પડશે. આ મામલો સંપૂર્ણપણે વિધાયિકાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સરકાર તરફથી આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી કે, આ મામલે કોર્ટ દખલ કરી શકે કે આ માત્ર સંસદનો એકાધિકાર છે. મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં)એ વાય. ચંદ્રચૂડને જણાવ્યું કે, આ મામલાને સમજવા માટે અરજીકર્તાઓની વાત સાંભળવી પડશે અને અરજીકર્તાઓને સાંભળ્યા પછી જ સરકારની વાત સાંભળવામાં આવશે. આ બાબતે જીય્એ આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે આ બાબતે દલીલ કરતા જણાવ્યું કે, આ મુદ્દાને કયું સંવૈધાનિક ફોરમ સાંભળી શકે છે અને તે પણ મેરિટના આધાર પર નહીં, પરંતુ તેમની પોતાની પ્રારંભિક આપત્તિ વ્યક્ત કરવા માંગે છે. ઝ્રત્નૈંએ જણાવ્યું કે, તેઓ પહેલા અરજીકર્તાની રજૂઆત સાંભળશે. જીય્એ જણાવ્યું કે, અરજીકર્તાએ સરકારની પ્રારંભિક આપત્તિઓ પર જવાબ દેવો જાેઈએ. ત્યારબાદ ઝ્રત્નૈંએ કહ્યું કે, તેઓ આ કોર્ટના ઈન્ચાર્જ છે. માત્ર તેઓ જ ર્નિણય લેશે. પહેલા અરજીકર્તાની રજૂઆત સાંભળવામાં આવશે. આ સુનાવણી પ્રક્રિયા કેવી રીતે થશે. તે જણાવવાની મંજૂરી કોઈને આપવામાં નહીં આવે. જીય્ મહેતા જણાવે છે કે, જાે આ પ્રકારે થશે તો સરકાર પણ જાેઈ લેશે કે તેણે આ મામલાની સુનાવણીમાં શામેલ થવું કે નહીં. આ બાબતે અન્ય સાથી જસ્ટિસ સંજય કિશન કૌલે જણાવ્યું કે, શું તેઓ એવું કહેવા માંગે છે કે, સરકાર આ સુનાવણીમાં સામેલ નહીં થાય? આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે અને સરકારનું આ પ્રકારે કહેવું કે, આ મામલાની સુનાવણીમાં સામેલ થવું કે નહીં? તે ખૂબ જ અયોગ્ય વાત છે. ત્યારબાદ સુનાવણી શરૂ થઈ હતી. અરજીકર્તા તરફથી વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ દલીલની શરૂઆત કરી હતી. અરજીકર્તામાં પણ સામાન્ય લોકોની જેમ જ અધિકાર રહેશે. એક સમયે કાનૂનની ધારા ૩૭૭ હેઠળ સમલૈંગિક સંબંધ અપરાધ ગણવામાં આવતા હતા. હવે આ પ્રકારે બિલકુલ પણ નથી. ૈંઁઝ્ર ૩૭૭ દૂર કરી દેવામાં આવી છે, તેવું બિલકુલ પણ ના કહી શકાય. તમે અલગ તમારું જીવન જીવી શકો છો. અમે અન્ય લોકોની જેમ છીએ અમને પણ સમાન અધિકાર મળવા જાેઈએ. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે, સમલૈંગિક સંબંધમાં રહેતા લોકો સાથે રહી શકે છે, તો તેમના લગ્નને પણ મંજૂરી મળવી જાેઈએ. જીય્ મહેતાએ દલીલ કરી કે, અનેક કાયદાનો કોઈપણ પ્રકારનો અર્થ નહીં રહે. આ પ્રકારના મામલાઓ સંસદની મદદથી જ થવા જાેઈએ. સંસદીય સમિતિઓમાં કોઈપણ મામલે ગંભીરતાથી તમામ બાબતોએ ચર્ચા કરવામાં આવે છે અને તેમાં તમામ દળના સાંસદ હોય છે. જમિયલ ઉલેમાએ હિંદ તરફથી વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે પણ સજાતીય લગ્નનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ તમામ વ્યક્તિની સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવે છે. તેમને લાગી રહ્યું છે કે, તેઓ જે પ્રકારે રહેવા માંગે, જેવા પ્રકારનો સંબંધ રાખવા માંગે તેવો સંબંધ રાખવાનો અધિકાર છે. સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે અને તેમણે બાળક દત્તક લીધું તો તે પરિસ્થિતિમાં શું થશે? અલગ થવાની પરિસ્થિતિમાં બાળકના પિતા અને માતા કોણ હશે? ભરણપોષણ ભથ્થુ કોણ આપશે? અહીં ઉલ્લેખનીય છે કે, આ મામલે બુધવારના રોજ આગળની સુનાવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ૧૭ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં બીજી સોગંદનામું દાખલ કર્યું હતું. જેમાં સરકારે કહ્યું હતું કે, સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની માગ માત્ર એલિટ ક્લાસની છે. કાયદો બનશે તો સામાન્ય નાગરિકોનાં હિતોને અસર થશે. અગાઉ સપ્ટેમ્બર, ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી દૂર કરી દીધી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બે વયસ્ક વ્યક્તિ વચ્ચે પારસ્પરિક સંમતિથી બાંધવામાં આવેલા સમલૈંગિક સંબંધને હવે ગુનો ગણવામાં આવશે નહીં.
સમલૈંગિક લગ્નના મામલે સુપ્રીમ કોર્ટમાં થઇ દલીલો, CJI એ SG તુષાર મહેતાને આપી ચેતવણી

Recent Comments