ગત તા. ર૦ સપ્ટેમ્બર, ર૦ર૧ ના રોજ સાંસદએ રેલ્વે, નેશનલ હાઈવે અને મા–મ વિભાગ સ્ટેટના અધિકારીઓ સાથે સ્થળની જોઈન્ટ વીઝીટ બાદ દરખાસ્ત કરાવી હતી.
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા તેમના સંસદીય વિસ્તારના નાના થી લઈ મોટા, જટીલ તમામ પ્રકારના પ્રશ્નોના હલ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે સાવરકુંડલા શહેર માંથી પસાર થતા બાયપાસ પર આવેલ રેલ્વે લાઈન ઉપર આર.ઓ.બી. નિમૉણનું કાયૅ છેલ્લા ઘણા સમયથી વિલંબીત પડેલ હોવાના કારણે ભારે વાહનો તથા પીપાવાવ પોટૅથી લઈ અન્ય કંપનીઓના ટેન્કરો સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થઈ રહયા છે જેના લીધે અકસ્માતનો સતત ભય રહે છે. ત્યારે બાયપાસ કાયૅરત ન હોવાને લીધે સાવરકુંડલાના શહેરીજનોને પડતી મુશ્કેલીઓ સત્વરે દુર થાય તે માટે સાંસદશ્રી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવેલ અને જેના ફળસ્વરૂપે સાવરકુંડલા બાયપાસના કામે એલ.સી. નં. પ૮/સી ના ટેમ્પરરી શીફટીંગ માટે રેલ્વે બોડૅ તરફથી મંજુરી આપી દેવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતોનુસાર અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરમાં બનેલ બાયપાસ પર આર.ઓ.બી.નું નિમૉણ કાયૅ ઝડપથી ચાલુ થાય તે માટે ગત તા. ર૦ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમના અમરેલી સ્થિત કાયૉલયે રેલ્વે વિભાગ, નેશનલ હાઈવે અને માગૅ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જોઈન્ટ બેઠક યોજેલ હતી અને ત્યારબાદ સાવરકુંડલા ખાતે મંજુર થયેલ આર.ઓ.બી.ના સ્થળનું તમામ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરેલ હતું. આ બેઠકમાં જયાં સુધી નવો આર.ઓ.બી. મંજુર થઈ નિમૉણ ન પામે ત્યાંસુધી આ બાયપાસનો લોકો ઉપયોગ કરી શકે તે માટે એલ.સી. નં.પ૮/સી ને કી.મી. પ૩/૯ થી પ૪/૦ થી નવા કી.મી. પ૪/૯ થી પપ/૦ સુધ (ઢસા–રાજુલા જં ) વચ્ચે નવા એલ.સી નં. પ૮/એકસ (સ્પેશ્યલ કલાસ એલસી) તરીકે ટેમ્પરરી શીફટીંગ માટે રેલ્વે બોડૅમાં દરખાસ્ત કરવા નિણૅય થયેલ હતો. જેના અનુસંધાને સાંસદશ્રી દ્વારા સતત રેલ્વે વિભાગ અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે સંકલનમાં રહી ગત તા. ૩/૦૧/ર૦રર ના રોજ આ કામને મંજુરી અપાવેલ છે.
રેલ્વે વિભાગ તરફથી એલ.સી. શીફટીંગ માટે મંજુરી મળ્યા બાદ હવે આ કામ માટે સરકારશ્રી તરફથી રૂા. ૩,પપ,૮૦,૪૧૧/– (અંકે ત્રણ કરોડ પંચાવન લાખ એસી હજાર ચારસો અગ્યાર પુરા) સત્વરે મંજુર થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments