અમરેલી

સાવરકુંડલાની જનતાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રુ.૧૨૨ કરોડના વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી

રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નૂતન વર્ષના પ્રારંભે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવી જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસના પરિણામે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ થયું જેના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. આ દિવાળી વિશેષ છે કારણ કે, પાચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ અયોધ્યા નીજ મંદિર ખાતે બિરાજમાન થયા છે.આ નૂતન વર્ષ એ વિકાસના નવતર સંકલ્પો સાકાર કરવાનું વર્ષ બની રહેશે તેમ ઉમેરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, દીપાવલીના પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વાકબારસના પાવન તહેવારે રુ.૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે, તો આજે સાવરકુંડલા વિસ્તારને રુ.૧૨૨ કરોડના વિકાસ પ્રકલ્પોથી લાભાન્વિત કરવાનો મને અવસર મળ્યો છે.તેમણે ઉમેર્યુ કે, વર્તમાન સરકારમાં કરોડોના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે સબળ નેતૃત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પહેલાના સમયમાં નગરપાલિકાનું આખા વર્ષનું બજેટ રુ.૫-૧૦ લાખનું હતું. નગરપાલિકા દ્વારા રુ.૧૦૦ કરોડના કામોના વિકાસકાર્યોના લોકાર્પણ થઈ રહ્યા છે. સબળ નેતૃત્વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્ધ વિકાસ કામોને સરકારમાં ત્વરિત મંજૂરી મળી રહી છે

Related Posts