અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે આગામી કલાકોમાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને લઈને વહીવટીતંત્ર ઘ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.
જે અંતર્ગત આજે સાવરકુંડલા શહેરમાં આજે લગભગ પોણા 6 વાગ્યે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને પવન સાથે વરસાદનું આગમન થયું. આમ માવઠાના શ્રી ગણેશ મંડાયા. સમગ્ર શહેરમાં વરસાદી પાણી પડતા માટીની ભીની ખુશ્બી ચારે તરફ ફેલાઈ ગઈ. શહેરનાં દરેક રસ્તા વરસાદી વાતાવરણને લીધે પાણી પાણી થયા. વરસાદ બંધ રહેતા લોકો પણ બહાર કુદરતી મેઘધનુષને જોવા બહાર નીકળી પડયા હતા અને પોતાના ઘરની આસપાસ ભરાયેલા પાણીનાં છાંબલાઓ સાફ કરતા પણ જોવા મળ્યા હતા.
આકાશી એ મેઘધનુષનાં રંગીન દ્રશ્યોએ આ કોરોના કાળનાં ચિંતાગ્રસ્ત વાતાવરણમાં લોકોએ થોડી માનસિક રાહત અનુભવી હતી. આમ તો આ કોરોનાકાળમાં આ કમૌસમી વરસાદ જાણે શહેરને સેનિટાઈઝ કરવા આવ્યો હોય તેવુંવાતાવરણ સર્જાયું હતું.
જો કે પવન થોડો શાંત પડતા ધીમી ધારે સતત વરસાદ કલાક સુધી વરસ્યો હતો. કમૌસમી વરસાદને કારણે વીજળી થોડા સમય માટે ગુલ થઈ ગઈ હતી. જો કે આ કમૌસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે. આમ પર્યાવરણનાં આવા અણધાર્યા ફેરફારો પણ આ કોરોનાકાળમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે. વાતાવરણ વાદળોથી ઘેરાયેલું છે અને લાગે છે કે રાત્રે પણ આ કમૌસમી માઠવાની અસર વાર્તાશે તેવું વાતાવરણ જોવા મળેલ છે.
Recent Comments