અમરેલી

સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા હોળી ધુળેટીના તહેવાર નિમિતે પંચમહાલ જિલ્લામાં અવર જવર માટે એક્સ્ટ્રા બસો ચાલુ કરવામાં આવશે.

સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા સાવરકુંડલા થી પંચમહાલ જિલ્લામાં જવા આવવા માટે તારીખ  ૧૭ થી ૨૪ માર્ચ સુધી હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે જે એસ.ટી.બસો સાવરકુંડલા થી ગોધરા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા સુધી આવક જાવક કરશે સાવરકુંડલા તાલુકામાં ખેતીના મજૂરો અને અન્ય ધંધાઓમાં સંકળાયેલ પંચમહાલ અને એમ.પી.ના મજૂરો પોતાના વતનમાં હોળી ધુળેટીના તહેવારમાં સહેલાઈથી જઈ શકે અને આવી શકે તે માટે અમરેલી જીલ્લા વિભાગીય નિયામકની સૂચનાથી સાવરકુંડલા ડેપો મેનેજર વિમલ નથવાણી અને ટ્રાફીક ઇન્સ્પેક્ટર પુનિતભાઈ જોષી દ્વારા એક્સ્ટ્રા બસોમાં સહેલાઈથી પોતાના વતનમાં જવા આવવા માટે મુસાફરોને  સલામતી સાથે મુસાફરી કરી શકે અને મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન પડે તેવા આશયથી  સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમ સાવરકુંડલા એસ.ટી.ડેપોના વોચમેન પ્રકાશગીરી મુનાબાપુની યાદી જણાવેલ સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને પોતના મજૂરો અને ભાગીયા ઓને વતનમાં આવવા જવા સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતેની એકસ્ટ્રા બસો માટે બુકિંગ કરાવી શકશે. એમ અમીતગીરી ગોસ્વામી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts