આ પાટોત્સવ પ્રસંગે બગસરાના સુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય, ભાવમયી શૈલીમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા… બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો તથા બાળકો એ સુંદરકાંડના પાઠ કરી ધન્યતા અનુભવી… આ પ્રસંગે શ્રી કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત શ્રી કરશનગિરી બાપુના નાના પુત્ર ગૌતમગીરી (બાવબાપુ) ની લઘુમહંત તરીકે જૂનાગઢના સંત શ્રી હરિહરાનંદભારથીજી મહારાજ, ઘેલા સોમનાથ ના મહંત જૂના અખાડાના થાણાંપતિ વિક્રમગીરીબાપુ તથા દામનગરના પૂ. ભક્તિમાતા વગેરે સાધુ-સંતો દ્વારા તિલક વિધિ બાદ ચાદરવિધિ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને લીંબુ શરબત આપવામાં આવેલ.
સાવરકુંડલા ખાતે મેઇન બજારમાં આવેલ હજારો લોકોની આસ્થાના કેન્દ્ર એવાંશ્રી કુંડલપુર હનુમાનજીનો પાટોત્સવ યોજાયો

Recent Comments