ગત તા.૧૭-૦૪-૨૪ને રામનવમી નિમીત્તે સાવરકુંડલા શહેરમાં યોજાયેલ શ્રી રામ જન્મોત્સવ સમિતી દ્વારા આયોજીત રામનવમી શોભાયાત્રાનું સતત ત્રીજીવાર ભવ્ય રીતે આયોજન કરવા બદલ શ્રી રામ જન્મોત્સવ સમિતીના પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા અને સમગ્ર શ્રી રામ જન્મોત્સવ સમિતીની પુરી ટીમને હ્રદયપૂર્વક શુભકામનાઓ. તેમજ શ્રી રામનવમીની રાત્રે નાવલી નદીના પટાંગણમાં રહેલ રામમંદિરનો લોટ અને ભગવાન શ્રી રામના ફોટાને ગાયોના કારણે નુકશાન ના પહોંચે તે માટે શરદભાઈ પંડયા તથા મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરતા ભગવાનશ્રી રામના ફોટા અને મંદિરોને સહીસલામત નદીની બહાર કાઢી મુસ્તાકભાઈ જાદવના સુપુત્ર રફીકભાઈ જાદવ અને હનીફભાઇ ફોરમેન તેમજ સતીષભાઈ પાંડેએ સલામત જગ્યાએ મુકવાની વ્યવસ્થા કરી કોમી એકતાનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડેલ એ બદલ ત્રણેય વ્યકિતઓનો ભાજપ પરીવાર -સાવરકુંડલા દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ.
સાવરકુંડલા ખાતે સતત ત્રીજા વર્ષે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી શોભાયાત્રાના સફળ આયોજનને બિરદાવતો સાવરકુંડલા ભાજપ પરીવાર

Recent Comments