સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીઝુંડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ ચાંપરાજબાપુ ની જગ્યા ખાતે આવેલ પરમ પૂજ્ય દાનબાપુ ના મંદિર ખાતે દાનબાપુ ની જગ્યાના મહંત બાપલુબાપુ અને દાનેવ સેવા સમિતિ તેમજ સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા પરમ પૂજય દાનબાપુનો થાળ મહાવદ અમાસ ના દિવસે રાખવામાં આવ્યો હતો આતકે દાનેવધામ ચલાલા ના મહંત પૂજ્ય વલકુબાપુ, સૂરજદેવળ જગ્યાના મહંત ધર્મભૂષણ શાંતિદાસબાપુ, તુલસીશ્યામ મંદિર ના ટ્રસ્ટીઓ વગેરે દેહાણ ની જગ્યાઓના સંતો મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા થાળ પ્રસંગે ધ્વજારોહણ, દાનબાપુ નું પૂજન અર્ચન, થાળ, મહાઆરતી, ધર્મસભા, સંત મિલન, મહાપ્રસાદ વગેરે ધાર્મીક કાર્યક્રમો ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
આતકે અમરેલી જીલ્લા કાઠી સમાજના અગ્રણી અશોકભાઈ ખુમાણ ઠવી, મોટાઝીઝુડા પૂર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણ, એડવોકેટ ઉમેદભાઈ ખાચર અમરેલી, ઉપેન્દ્રભાઈ વાળા મીઠાપુર, હેમાળ પૂર્વ સરપંચ મયલુભાઈ ખુમાણ, કનુબાપુ ખુમાણ સાવરકુંડલા, ચાંદગઢ સેવા સહકારી મંડળી ના પ્રમુખ દાદભાઈ ધાધલ, તાલુકા પંચાયત પૂર્વસદસ્ય મનુભાઈ ભીંસરીયા, જીલ્લા પંચાયત પૂર્વ ચેરમેન નિર્મળભાઈ ખુમાણ, નજુભાઈ ખુમાણ જાબાળ, ભયલુભાઈ ખુમાણ જાબાળ, અશોકભાઈ ખુમાણ કરાંકચ, અશોકભાઈ ધાધલ કાતર, રામકુંભાઈ ધાખડા રાજુલા, સુરેશભાઈ વાળા ઇશ્વરીયા, રાજુલા નાગરિક બેંક પૂર્વચેરમેન બાબમામા કોટીલા, વિક્રમભાઈ ખુમાણ જીરા, ભરતભાઈ ગીડા, અમરેલી જીલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ મહેન્દ્રભાઈ વિછીયા, જીતુભાઈ ખાચર, અનુભાઈ ખાચર તેમજ ચાંપરાજબાપુની જગ્યા વિસ્તાર ના અમીતગીરી ગોસ્વામી, અલ્પેશ કારીયા, નિલાબાપુ, દિલીપભાઈ ડોડીયા વગેરે એ દાનબાપુ ની જગ્યા ના મહંત બાપલુબાપુ નું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આતકે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments