તા. ૨૨ માર્ચ ના રોજ સાંજે ૫ કલાકે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી હોળી, ધૂળેટીના તહેવારો આવતા હોય અને હાલ રમઝાન માસ ચાલુ હોય સાવરકુંડલા ટાઉન પી.આઈ. દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠક માં સાવરકુંડલા ના તમામ નાગરિકો ભાઈચારાની ભાવના સાથે આ તહેવાર ઉજવે અને કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવેલ. સાથોસાથ પી આઈ દ્વારા હાલ માં વધી રહેલ સાઇબર ક્રાઇમ વિશે પણ જાગૃતિ લાવવા માટે આગામી સમય માં કાર્ય કરવા તત્પરતા દર્શાવી હતી. આ બેઠક માં સામાજિક, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ટાઉન પી.આઈ. દ્વારા શહેરના વેપારીઓ પોતાના વ્યવસાયના સ્થળે સી.સી. ટીવી કેમેરા લગાવે તેવી અપીલ કરેલ જેના લીધે જે ચોરીના બનાવો બને છે તે અટકી શકે. તેમજ પી.આઇ. દ્વારા દરેક સમાજના લોકોને પોલીસની સાથે સહકાર ભર્યું વર્તન દાખવે તે બાબતે અપીલ કરેલ છે.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Recent Comments