વાવાઝોડા બાદ પડી રહેલ મુશ્કેલીઓ અંગે લોકો અને ખેડૂતો તરફથી કરવામાં આવેલ રજૂઆતો અન્વયે સાંસદે જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી. તાઉ’તે વાવાઝોડા થી અમરેલી જિલ્લામાં સજૉયેલ તારાજીને પહોંચી વળવા સરકાર, જિલ્લા ભાજપ, લોક પ્રતિનિધિઓ, સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સતત કામગરી થઈ રહી છે ત્યારે આજ રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા તાલુકાના ક’ષ્ણગઢ, ગીણીયા, બગોયા અને ખોડીયાણા ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ વાવાઝોડા બાદ
ગ્રામજનો અને ખેડૂતોને થઈ રહેલ સવેૅ, વિજળી, પાણી થી લઈ પડી રહેલ અન્ય મુશ્કેલીઓ અંગે ચચૉઓ કરી, લોકોની તકલીફો જાણી સાંસદશ્રીએ સ્થળ પરથી જ સબંધીત વિભાગના અધિકારીઓને જરૂરી ટેલીફોનીક સૂચનાઓ આપી હતી.
આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ મોર, તાલુકા ભાજપ મહામંત્રી ભનુભાઈ મોર, ભાજપ અગ્રણીઓ મુકેશભાઈ ધાનાણી અને ભનુભાઈ ચોવટીયા સહીત સ્થાનિક ગામ
આગેવાનો,સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
સાવરકુંડલા તાલુકાના ક’ષ્ણગઢ, ગીણીયા, બગોયા અને ખોડીયાણા ગામની મુલાકાત લેતા સાંસદ નારણભાઈ કાછડીયા

Recent Comments