અમરેલી

સાવરકુંડલા ના ગામડો માં જન આશીર્વાદ લેતા કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રતાપ દૂધાત 

આજ રોજ સાવરકુંડલા તાલુકા ના હાડિડા, દાધિયા, વણોટ, ચિખલી, જાંબુડા મઢડા, ડેડકડી, છાપરી, ભોકરવા, નાની વડાળ, લીખાળા, ગામમાં કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ દૂધાત નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેમાં સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, અશ્વિનભાઈ ધામેલિયા, કુમનભાઇ રૈયાણી, પંકજ ઉનાવા અને ભૌતિકભાઈ સુહાગીયા તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે અને ગામો ગામથી ખુબજ મોટી સંખ્યામાં લોકો સમર્થન આપી રહ્યા છે, અને લોકો પણ પ્રતાપ દૂધાત દ્વારા કરેલ છેલ્લા પાંચ વર્ષ ના કામો હોય, કે લોકોના કોઈપણ કામો હોય ત્યારે સતત સાથે રહી ને લોકોના પ્રશ્ન ઉકેલતા હોય છે. તેવું લોકો ના મુખે સંભળાય રહેલ છે , સાવરકુંડલા લીલીયા બોલે ફિરસે પ્રતાપ દૂધાત ના નારા લાગી રહ્યા છે. આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે.

Related Posts