અમરેલી

સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલમાં દાતાઓ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બયુલન્સ અર્પણ કરવામાં આવી.

સાવરકુંડલા રેલવે સ્ટેશન સામે આવેલ ખાદી કાર્યાલય કેમ્પસમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં સારવાર, ઓપરેશનો અને ઓ.પી.ડી. માટે આવતા દર્દીનારાયણ ના પરિવહન માટે આધુનિક સુવિધા ઓથી સજ્જ એમ્બયુલ્સ મુંબઈના ઉદારદાતા પુરુષોત્તમદાસ ઠાકુરદાસ અને દિવાળીમાં ટ્રસ્ટ મુંબઈ દ્વારા લલ્લુભાઇ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિર હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી જે એમ્બયુલન્સનું લોકાર્પણ થયું હતું લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક પણે દર્દીનારાયણ ની સેવામાં નિરંતર કાર્યરતછે

અને આ સાથે દિન પ્રતિદિન નિઃશુલ્ક સંસ્થા દર્દીનારાયણની સવલતોને ધ્યાનમાં રાખીને દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું સતત નિરીક્ષણ કરી રહીછે આરોગ્ય સેવામાં દર્દી નારાયણની સવલતોને ધ્યાનમાં રાખીને એક સુંદર પગલું સાવરકુંડલા આરોગ્ય મંદિર દ્વારા વિનમ્રતાપૂર્વક ભરવામાં આવ્યુંછે જેમાં મુંબઈના ઉદારદાતા પુરુષોત્તમદાસ ઠાકુરદાસ અને દિવાળીમાં ટ્રસ્ટ મુંબઈના સહયોગથી સંસ્થામાં દર્દી નારાયણને કોઈપણ કેમ્પ હોય અથવા કોઇ વિસ્તાર માંથી એક સાથે હોસ્પીટલમાં લાવી શકાયતે હેતુથી એક સુંદર અને આધુનિક સગવડોથી સુસજ્જ સેન્ટ્રલ એસી મીની બસ એમ્બયુલન્સ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આપ્રસંગે માનવ મંદિરના મહંત ભક્તિરામબાપુના વરદ હસ્તે વિધિવત પૂજા અર્ચના કરી મીની બસનું દર્દી નારાયણની સુખાકારી માટે સદુપયોગ થાય તે અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેવું આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા, જયેશભાઇ માટલીયા, રાજુભાઈ બોરીસાગર વગેરે અગ્રણીઓ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts