અમરેલી

સાવરકુંડલા માનવ મંદિરે મુંબઈના દાનવીર ભામાશા ગાંધી પરિવારે માનવ મંદિર ની સેવાથી પ્રભાવિત થઈ અદ્યતન ડાઇનિંગ હોલ નિર્માણમાં 5 લાખનું દાન આપ્યું

સાવરકુંડલા ટાઉતે વાવાઝોડામાં નાશ પામેલા સાવરકુંડલા માનવ મંદિર રસોડાનું પુનઃ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મૂળ વિરડી ના રહેવાસી અને હાલ મુંબઈ વાલકેશ્વર ખાતે રહેતા ઉદ્યોગપતિ ભામાશા વી.ડી. ઉર્ફે મનુભાઈ ગોરધનદાસ ગાંધી અને તેમના ધર્મપત્ની ભારતીબેન અને સાવરકુંડલા ના પ્રમોદભાઈ સંઘવી સાથે મુલાકાત લીધી સાવરકુંડલા માનવ મંદિર માં પૂજ્ય ભક્તિરામબાપુ દ્વારા કરવામાં આવતી નિરાધાર રખડતી ભટકતી મનોરોગી બહેનોની વિનામૂલ્યે સેવાથી જાણકારી મેળવી.. હાલમાં મંદિરમાં વિવિધ પ્રાંતની વિવિધ ભાષાની ૬૦ જેટલી મનોરોગી મહિલાઓ ભક્તિ બાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યાંરે અત્યાર સુધી ની અંદર ૯૭ જેટલી મનોરોગી બહેનો સાજી થઈ પુનઃ સમાજમાં સ્થાપિત થઈ છે 


પાંચ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે અને એક દીકરી ના નિકાહ કરવામાં આવ્યા છે કે જેને તેનો પરિવાર સંભાળવા તૈયાર ન હતો ત્યારે અનેક દીકરીઓના પાલક પિતા બની અને એક સાધુની સુપેરે ફરજ નિભાવી છે આ માનવ મંદિર પરિસરમાં દવા દુઆ અને હવાના માધ્યમથી મનોરોગી મહિલાઓ સાજી થાય છે અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોષીની નિયમિત સેવા અને એમના માર્ગદર્શન નીચે  દવાઓ આપવામાં આવે છે સૌરાષ્ટ્ર એ સંતો ની ભુમી છે અને અને બીજા શબ્દોમાં કહીએ તો ભક્તિરામ બાપુ એટલે કોઈ અહંકાર કે આડંબર નહીં.. હાલના સંત મુળદાસ સાથે સરખાવીએ તો પણ અતિશયોક્તિ નથી આ બધી જ બાબતોથી ગાંધી પરિવાર પ્રભાવિત થયા અને માનવ મંદિર પરિસરની અંદર જે વાવાઝોડા દરમિયાન રસોડું  ધ્વસ્ત થઈ ગયુ હતો તેના પુનઃનિર્માણ નું કામ ટૂંક સમયમાં જ ખાતમુરત કરવાનું હોય તે બાબતની જાણકારી મેળવી અને ભક્તિ બાપુની આ સેવા ને વંદન સાથે રૂપિયા પાંચ લાખનું યોગદાન આપી સમાજના. દાનવીર શ્રેષ્ઠિએ પોતાની સામાજિક ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો હતો…

Related Posts