અમરેલી

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ચંદ્રયાન – ત્રણ ની સફળતા માટે મારુતિ યજ્ઞ કરાયો.

સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે જ્યાં ભક્તિ બાપુ ની નિશ્રામાં 52 જેટલી મનોરોગી બહેનો વિના મૂલ્યે પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને વળેલો આ માનવ મંદિર આશ્રમે આજે ભક્તિ બાપુ ના અધ્યક્ષ પદે માનવ મંદિર પરિવાર દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો ચંદ્રયાન ત્રણને સફળતા મળે અને દેશના વડાપ્રધાનને વિશ્વમાં યશ કીર્તિ મળે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી. મારુતિ યજ્ઞ એટલે હનુમાનજી એ વાયુના દેવ છે અને સમગ્ર બ્રહ્માંડમાં પવનનું વર્ચસ્વ છે એટલે ચંદ્રયાન -3 ને સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં મદદ મળે તેવા હેતુસર આ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ભક્તિ બાપુએ સંપૂર્ણપણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ યજ્ઞ વિધિ વિધાન પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.

Related Posts