અમરેલી

સાવરકુંડલા – રંઘોળા રોડનું ખાતમુહર્ત કરતા ૧૦૮ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને યુવા હોનહાર ધારાસભ્યશ્રી મહેશ કસવાલા

રૂા.૫૬ કરોડની માતબર રકમ મંજુર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ખુબ ખુબ આભાર માનતા ધારાસભ્ય કસવાલાસાવરકુંડલા તેમજ આજુબાજુના તાલુકાની જનતા માટે ભાવનગર જવામાં ખુબજ સરળતા થશે. સાવરકુંડલા – રંઘોળા રોડ સાત  મીટર પહોળો તેમજ લીમડા – સાવરકુંડલા ૫૬ કિ.મી લાંબો થશે.સાવરકુંડલા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી ધરાવતા “નામનો નહી પણ કામનો માણસ” ઍવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલા તથા જીલ્લાના ૧૦૮ સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે શેત્રુંજી નદીના પુલ કાંઠે રૂા.પ૬ કરોડના માતબર રકમથી મંજુર થયેલ સાવરકુંડલા – રંઘોળા રોડનું ખાતમુહર્ત કર્યુ હતુ. લીમડાથી સાવરકુંડલાને જોડતા ૫૬  કિલોમીટર લાંબા અને ૭  મીટર પહોળા હાઇવેના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ૫૬  કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી, જે બદલ માન, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો સાથે જ તાલુકાની જનતા માટે ભાવનગર અવર જવર કરવામાં ખુબજ સરળતા થશે અને કોન્ટ્રાકટરને પણ આ રોડ સત્વરે પૂર્ણ કરવા  સુચના પણ આપવામાં આવેલ છે.

વધુમાં સાવરકુંડલા – રંધોળા રોડના ખાતમુહર્ત પ્રસંગે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભાજપ સંગઠન પણ હાજર રહ્યું જેમા, આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરિયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી, જુનાસવર ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ કાનાણી, સાવરકુંડલા તાલુકા મહામંત્રી શ્રી ચેતનભાઈ માલાણી અને નીતિનભાઇ નગદીયા, લીલીયા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી ગૌતમભાઈ વીંછિયા અને શ્રી જિજ્ઞેશભાઈ સાવજ, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાનજીભાઇ નાકરાણી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઇ ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દૂધાત, જિલ્લા પંચાયતના દંડક શ્રી લાલભાઇ મોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાહુલભાઇ રાદડિયા, શ્રી ભીખાભાઈ ધોરાજિયા, અમરેલી જિલ્લા બેંકના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ અને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts