સાવરકુંડલા જલારામ મંદિર પાસ આવેલ વીરબાઈ માઁ ટિફિન સેવા કેન્દ્ર ખાતે જીલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ચામડીના રોગો, શ્વાસને લગતા રોગો, સંધિવા, પેટના રોગો, વૃદ્ધાવસ્થાજન્ય રોગો, સ્ત્રી ઓના રોગો તથા તેમને પડતી મુશ્કેલીઓ, પેશાબના રોગો, બાળરોગ, ડાયાબીટીસ વગેરે તમામ પ્રકારના રોગોનું આયુર્વેદ પધ્ધતિથી નિદાન અને તેમની સારવાર કરી વિનામમૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પમાં મેડિકલ ઓફિસરો ડો.ડી.જે.ખાચર, ડો.દેવેન્દ્ર ચૌહાણ, ડો.કે.બી.ગોંડલીયાએ સેવા આપી હતી. આ કેમ્પમાં સાવરકુંડલા શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી દર્દીનારાયણો મોટી સંખ્યામાં લાભ લઇ નિદાન કરાવી આયુર્વેદિક દવાઓ નિઃશુલ્ક મેળવી હતી.
સાવરકુંડલા વિરબાઈમાં ટિફિન સેવા કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

Recent Comments