છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દેવળા ગેઈટ વિસ્તારમાં શ્રી બટુક હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કૌશિકગીરી ગૌસ્વામી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા આ પ્રસંગે વિશેષ શિવાજી મહારાજનું બાળસ્વરૂપના દર્શન એ મુખ્ય આકર્ષણ કેન્દ્ર રહ્યું હતું સાથે આ તકે સંતો મહંતોની ઉપસ્થિતિમાં માનવ મંદિરના મહંત પૂ શ્રી ભક્તિરામ બાપુ ,કબીર આશ્રમથી પૂ શ્રી નારણદાસ સાહેબ,બટુક હનુમાનજી મંદિરના મહંત પૂ શ્રી નરેશબાપુ,રામદેવ પીર મંદિરના મહંત શ્રી જદુરામબાપુની ઉપસ્થિતિ રહી હતી આ તકે વિશ્વ હિન્દુના પ્રાંત ગૌસેવા સંવર્ધન સંયોજકશ્રી બાબુભાઈ સોલંકી, જીલ્લા અધ્યક્ષ વિપુલભાઇ પરમાર, ઉપાધ્યક્ષ ડો. વિશાલભાઈ લશ્કરી , મંત્રી જતીનભાઈ ઠાકર,એડવોકેટ ભાવેશભાઈ હરસોરા, હાર્દિકભાઈ ચોડીગળા ,ભાવિનભાઈ ગોરડિયાની ઉપસ્થિતિમાં બજરંગ દળના નવનિયુક્ત કાર્ય કરતા અરુણભાઈ ગોંડલિયાને બજરંગ દળના પ્રમુખ તથા જૈનમભાઈ અંબાણીને ઉપપ્રમુખની નિમણુંક કરી વધાવ્યા હતા
સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરાઇ

Recent Comments