અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવના બીજે દિવસે વૈષ્ણવો દ્વારા હરખભેર નંદભયો ઉજવવામાં આવેલ.

શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલાની યાદી જણાવે છે કે આપશ્રીની આજ્ઞાથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવનો આનંદ જન્માષ્ટમીના બીજે દિવસ વૈષ્ણવો નંદમહોત્સવ નંદ ઘેર આનંદ ભયો. હજારો વર્ષોથી  વૈષ્ણવો મનાવે છે તે મુજબ આ વરસે પણ શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં અતિ આનંદ ઉલ્લાસભેર  પ્રજ્ઞાબેન કીર્તિભાઈ રૂપારેલ મુખ્ય મનોરથી બની ખુબ જ ધામધૂમથી  ઉજવવામાં આવેલ  તેમજ ઘણા જ વૈષ્ણવોને શ્રી કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ભાવ અને પ્રેમથી મહાપ્રસાદ લેવડાવી રૂપારેલ પરિવાર ધન્યતા અનુભવી રહ્યા હતા તેમજ બેઠકજી કમિટિ દ્વારા આ સુંદર અવસરના મનોરથી બનાવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ   આભારની  લાગણી વ્યક્ત કરેલ છે.

આજના યુગમાં સૌ પોતાના બાળકોના પરિવારના જન્મ દિવસ મનાવે છે જ્યારે રૂપારેલ પરિવારે તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ મનાવી વૈષ્ણવોને સુંદર રાહ બતાવેલ છે અલૌકિક મનોરથના મનોરથી થવા માટે શ્રી મહાપ્રભુજી બેઠકજીની તમામ કમિટિનો તેમજ કીર્તનકાર ગોપાલભાઈ સૂરજવડી તથા તેમની સાથે મનસુખભાઈ બાબુભાઈ વીગેરે તેમજ આ ઉત્સવમાં સાથ સહકાર આપનાર તમામ સૌ વૈષ્ણવોનો આભાર વ્યક્ત મનોરથી પરિવાર વતી શ્યામભાઈ રૂપારેલ દ્વારા માનવામાં આવેલ એમ વિજયભાઇ વસાણીની એક યાદીમાં જણાવાયું હતું. 

Related Posts