અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે શહેરના જાહેર રોડની ફૂટપાથ પર રેલવેની દિવાલની પાસે સાવરકુંડલા રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસની વિગત દર્શાવતું હોર્ડિંગ્સ લાગેલું જોવા મળે છે.

સાવરકુંડલા શહેરમાં આવેલ રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે શહેરના જાહેર રોડની ફૂટપાથ પર સાવરકુંડલા રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસની વિગત સાથેનું મોટું હોર્ડિંગ્સ લાગેલું જોવા મળે છે. તો શહેરની જનતા પણ એ જાણવા માંગે છે કે આ હોર્ડિંગ્સ લગાવવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ? તે અંગે સાવરકુંડલાના જાગૃત નાગરિક હર્ષદભાઈ જોશી દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને લેખિત રજૂઆત કરી છે.. આમ ગણીએ તો ફૂટપાથનો સીધો અને તાત્વિક અર્થ તો લોકોને ચાલવા માટેની જગ્યા એવો થાય છે.

Related Posts