જેમાં માનવ ભાવેશભાઈ યાદવે નારદ મુનિની ભૂમિકા આબાદ રીતે ભજવી હતી… નારાયણ.. નારાયણ.. નારાયણ.. પ્રભુ… પૃથ્વી લોક પર…… ત્રાહિમામ.. ત્રાહિમામ….સાવરકુંડલા શહેરમાં જેસર રોડ , સ્થિત ગીતાંજલી સોસાયટી વોર્ડ નં ૮માં ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ન નાટ્ય કાર્યક્રમ યોજાયો પણ યોજાયો હતો જે નાટય કાર્યક્રમમાં નારદ મુનીનુ પાત્ર કરનાર ( માનવ ભાવેશભાઈ યાદવ ) કે પાંચમા ધોરણ અભ્યાસ કરી રહ્યો છે. તેમણે આબાદ રીતે ભજવેલ. આમ તો માનવની હજુ બાળવય છે પરંતુ કૌશલ્ય અને કલા એ તો કુદરતી બક્ષિસ હોય નારદની ભૂમિકા ખૂબ સરસ રીતે ભજવી હતી. . આ નાટ્ય કાર્યક્રમને નિહાળવા માટે આ વિસ્તારના બાળકો બહેનો તેમજ વડીલોએ ખાસ ઉપસ્થિતિ રહી અને આ કાર્યક્રમને મનભરીને માણ્યો અને બિરદાવ્યો પણ હતો..
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત ગીતાંજલિ સોસાયટી ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે નાટ્ય કાર્યક્રમ યોજાયો હતો

Recent Comments