દેશભરમાં વ્યસનના દુષણને અજગર ભરડા વચ્ચે આજથી 9 વર્ષ પહેલા આજ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસના જશને ઇદે મિલાદુનબ્બીના ઈદના સુવર્ણ દિવસે 5 વ્યક્તિઓને વર્ષોથી દારૂની કુટેવને છોડાવીને વ્યસન મુક્તિ અભિયાનનો આરંભ સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીએ કર્યો હતો ને આજે 85 હજાર ઉપરાંતના વ્યક્તિઓ વ્યસનને તિલાંજલી આપીને પરિવારના સભ્યોને વ્યસન મુક્ત ખુશીઓ ઈદના અવસર પર સૂફીસંતની દુઆ ઓથી પ્રાપ્ત થઈ હતી ને 9 વર્ષથી શરૂ થયેલું વ્યસન મુક્તિ અભિયાન બાગે રહેમત ખાતે ચાલુ છે ને કોઈપણ જ્ઞાતિ નાત જાત જોયા વિના સૂફીસંત દ્વારા માનવતાની જ્યોત અવિરત શરૂ છે
સાવરકુંડલા શહેરમાં સૂફીસંત ઓલીયા તરીકે ખ્યાતિ પામીને આખા દેશમાં નામના હાંસીલ કરેલા સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરી એટલે કોમી એખલાસ, ભાઈચારાની ભાવના અને બંધુત્વની મિસાલ ઉભી કરીને વ્યસનોથી અકાળે મોતને ભેટતા વ્યક્તિઓને વ્યસનોથી દૂર કરવાનું મિશન આજથી 9 વર્ષ પહેલાં 2-5-2012 ના હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ પર ઉજવાતા ઇદે મિલાદુનબ્બીના અવસરે શરૂ કરવામાં આવ્યો ને આ દિવસે 5 મુસ્લિમો જે વર્ષોથી દારૂના દુષણના અજગર ભરડામાં આખો પરિવાર ત્રાહિમામ પોકારી ઉઠેલો તેવા 5 વ્યક્તિઓએ સૂફીસંતના આશીર્વાદ, દુઆ સાથે દારૂના વ્યસન માંથી મુક્ત બન્યા ને ઈદના દિવસે હજારો વ્યક્તિઓની હાજરીમાં 5 વ્યક્તિઓએ દારૂ ન પીવાના તૌબા કર્યા હતા ને ત્યારથી સૂફીસંત દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનો શુભારંભ થયેલો ને અવિરત પણે છેલા 9 વર્ષમાં હજારો ઘરના ચૂલા વ્યસન મુક્તિ અભિયાન શરૂ થયા બાદ રેગ્યુલર ઘર ચાલવા લાગ્યા નો આનંદનો ઓડકાર સૂફીસંતની ટીમના ફાળે જાય છે દારૂ, ચરસ, ગાંજો, બીડી, સિગારેટ, તંબાકુ, જેવા વ્યસનોથી કેન્સર જેવી ભયંકર બીમારીઓ થતી હોય ને એક વ્યસનીના વ્યસનની કુટેવને કારણે આખો પરિવાર બરબાદ થતો હોય ત્યારે વ્યસનનો જ ત્યાગ કરવાની ભાવના વ્યસનીઓના હૃદયમાં ઉત્પન્ન કરવાનું કામ સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીએ શરૂ કર્યું ને જેમાં અજર હિન્દૂ મુસ્લિમો સહિત 85 હજાર વ્યસનોને તિલાંજલી અર્પીને સૂફીસંતના સાન્નિધ્યમાં જોડાઈ ગયા છે જે કામો સરકાર ને કરવાના હોય તેવા કામો સંતો મહંતો અને સૂફીસંતો કરતા આવ્યા છે જેને કારણે દેશની ધરોહર ચાલી રહી છે 9 વર્ષથી સૂફીસંતના અભિયાન ને ખરા અર્થમાં સાર્થક કરવા સૂફીસંતના દીકરા અલ્હાઝ મુનીરબાપુ કાદરી પણ વ્યસન મુક્તિ અભિયાનને ચાર ચાંદ લગાવી રહ્યા હોય ને જે પહેલા સાવરકુંડલામાં અનેકવાર પોલીસ તંત્રના ચોપડે કાયમી નામ રહેતા બુટલેગરોને પણ વ્યસનો મુકાવ્યા પણ અન્ય કોઈ વ્યક્તિઓ વ્યસનના રવાડે ન ચડે તે માટે આવા વ્યક્તિઓ દ્વારા વ્યસનીઓ સુધી પહોંચીને બાગે રહેમત ખાતે સૂફીસંત સુધી લાવીને વ્યસનો મુકવા અંગેની સમજણ આપવામાં આવે છે ને ઈશ્વર ખુદાએ જે દુનિયામાં મોકલ્યા છે તે ઈશ્વર ખુદાની ઈબાદત કરો ને તમારા પરીવાર પ્રત્યે લાગણીશીલ રહેવાની શીખથી આજે 85 હજાર જેટલા વ્યક્તિઓ 9 વર્ષમાં વ્યસનોથી દૂર થયા છે જ્યારે સાવરકુંડલા ને અમરેલી જિલ્લા બહારથી આવતા વ્યસનીઓ વ્યસન મુક્તિ માટે આવે ત્યારે બહારગામથી આવતા લોકોને જમવાની વ્યવસ્થા બાગે રહેમત ખાતે કરવામાં આવે છે એક વ્યસન પાછળ ખૂંવાર થઈ જતા વ્યસનીઓને એક દિવસના રોજના 100 રૂપિયા આસપાસનો ખર્ચ થતો હોય ને એક મહિનામાં 3 હજાર તો એક વર્ષમાં 36 હજારનો ખર્ચ કરતો વ્યસની વ્યક્તિ 10 વર્ષ 20 વર્ષથી વ્યસન પાછળ ખર્ચાઈ જતો હોય ત્યારે આવા ખોટા ખર્ચથી બચાવવા માટે જ સૂફીસંતની પ્રેરણા અને આશીર્વાદ માટે રાજ્ય બહારના વ્યક્તિઓ બાગે રહેમત ખાતે આવે છે ને વ્યસન મુકવા આવેલા વ્યસની હિન્દૂ વ્યક્તિ હોય તો શાલ ઓઢાડવામાં આવે છે ને મુસ્લિમ હોય તો ટોપી પહેરાવીને સૂફીસંત સન્માન આપીને વ્યસન મુક્તિ કરાવે છે ને વ્યસનથી મુક્ત થનાર વ્યક્તિનો આખા પરિવારમાં ખુશીઓ છવાઈ જાય છે ત્યારે આજે આ દુનિયામાં દરેક વ્યક્તિઓ પોતાના ઘર પરિવાર માટે બધું કરતા હોય પણ જેને મન મનુષ્ય જ પોતાનો સમાજ માનતા હોય તેવા સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીએ વ્યસન મુક્તિ અભિયાન સાથે કોઈપણ પરિવાર કે વ્યક્તિઓ વચ્ચે મનદુઃખ હોય તો તેમાં સુલેહ કરાવીને ફરી સંબંધો તાજા થાય તેવા સૂફીસંતના દીકરા સરકાર મુનીરબાપુ કાદરી પણ કાર્યો કરીને સૂફીસંતના નકશે કદમ પર ચાલી રહ્યા છે જેનું ગૌરવ સાવરકુંડલા વાસીઓ લઈ રહ્યા છે
Recent Comments