રાષ્ટ્રીય

સાસણ સહિત ગીર ના જંગલ ના લુપ્ત થતી પક્ષીની પ્રજાતિ માટે અભિયાન શરૂ કરાયું

ગુજરાત રાજ્યના વનવિભાગના અધિકારી પદાધિકારીઓ ની પરવાનગી લઇ રાખોડી ચિલોત્રા પ્રજાતિના પક્ષીઓ ને લઇ તેમનું પૂર્ણ સ્થાપન કરવા માટે એક અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે જેના અંતર્ગત ચિલોત્રા રાખોડી પ્રજાતિના 11 પક્ષીઓને સેટેલાઇટ ટેગ લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ 11 પક્ષીઓ માંથી બેનર પક્ષીને સોલાર ઉર્જા થી ચાલતા ટેગ લગાવવામાં આવ્યા હતા જેમાં સ્વર્ગીય પક્ષી વિદ લવકુમાર ખાચર ની સ્મૃતિમાં ટેક કરેલ પક્ષીનું નામ એલ કે રાખવામાં આવ્યું હતું ભારતમાં જોવા મળતી કુલ પક્ષીની પ્રજાતિઓમાંથી 45 ટકા ગુજરાતમાં જોવા મળે છે ગીર ગુજરાતનું 19 મહત્વના પક્ષીઓનું કેન્દ્ર છે ગિરનાર વિવિધ સ્થળો માં 300થી વધારે પ્રજાતિના પક્ષીઓ ને આશ્રય આપે છે તેમજ ચિલોત્રા પ્રજાતિ મોટાભાગની પ્રજાતિઓ ની સંખ્યા હાલ ભયગ્રસ્ત છે ભારતીય ઉપખંડમાં ચિલોત્રા ની દશ પ્રજાતિ જોવા મળે છે જ્યારે ગુજરાતમાં માત્ર એક ચિલોત્રા ની પ્રજાતિ રાખોડી જોવા મળે છે ઐતિહાસિક નોંધ મુજબ તે ગીરની અસામાન્ય પ્રજાતિ ન હતી અને શિયાળામાં આ પ્રજાતિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી

Related Posts