અમરેલી

સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત હર્ષદભાઈ કુરજીભાઈ ઢોલા ના સહયોગ થી ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માં છભાડીયા ના હર્ષદભાઈ કુરજીભાઈ ઢોલા ના આર્થિક સહયોગ થી નેત્રયજ્ઞ ના દર્દી નારાયણો ને અલ્પહાર ની સેવા અપાઈ હતી આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર કરતી અતિ અદ્યતન ટેક્નોસેવી હોસ્પિટલ સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ના નિષ્ણાંત તબીબ દ્વારા નેત્રમણી આરોપણ માટે દર્દી નારાયણો ને લાવવા લઈ જવા રહેવા જમવા સાથે આંખ ના ટીપાં દવા ચશ્માં અને ધાબળો અર્પણ કરતી આ સેવા નો લાભ દામનગર શહેરી તેમજ અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો આ સેવાયજ્ઞ માં દેવચંદભાઈ આલગિયા ભરતભાઇ ભટ્ટ જયેશભાઇ જોશી દિલીપભાઈ પરમાર જયુભાઈ જોશી રમેશભાઈ જોશી ધીરૂભાઇ રાજપૂત ભગત મહેશભાઈ પંડયા શાસ્ત્રી બાધુભાઈ બુધેલીયા સહિત ના સ્વંયમ સેવી એ સેવા આપી હતી

Related Posts