નાસાની ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ હજુ પણ અંતરિક્ષમાં છે. તે સાથી બૂચ વિલ્મરની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગઈ તેને ૨ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જાેકે હવે તેને ધરતી પર પાછી લાવવા નાસા પાસે માત્ર ૧૩ દિવસનો સમય બચ્યો છે. ત્યારે ૧૩ દિવસ પછી શું થશે? નાસાનું ક્રૂ-૯ મિશન શું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કેમ કે છેલ્લાં ૨ મહિના કરતાં વધુ સમયથી ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ સાથીદાર બૂચ વિલ્મરની સાથે અંતરિક્ષમાં ફસાયેલા છે.
૫ જૂન ૨૦૨૪ના રોજ બોઈંગ સ્ટારલાઈનરનું અવકાશયાન સુનીતા અને બૂચ વિલ્મરને લઈને રવાના થયું હતું. બંને અવકાશયાત્રીનું આ મિશન માત્ર ૮થી ૧૦ દિવસનું હતું. પરંતુ હિલિયમ લીકેજ અને થ્રસ્ટર્સમાં ખામીના કારણે અંતરિક્ષયાત્રીઓની પૃથ્વી પર વાપસીને ટાળી દેવામાં આવી. નાસા અત્યાર સુધી ચાર વખત સુનીતાની ધરતી પર વાપસીની તારીખને બદલી ચૂક્યું છે. પરંતુ હવે નાસા પાસે સુનીતાને ધરતી પર લાવવા માટે માત્ર ૧૩ દિવસ બચ્યા છે. આવું અમે કેમ કરી રહ્યા છીએ? નાસાનું ક્રૂ-૯ મિશન ૧૮ ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે.
તેના આવવાથી સ્ટારલાઈનરને ૈંજીજીના ડોકિંગ પોર્ટથી હટાવવું પડશે. ત્યારબાદ નાસાનું કામ વધારે મુશ્કેલ બની જશે. ક્રૂ-૯ મિશનના કારણે સુનીતા-વિલ્મરને બચાવવા મુશ્કેલ બની જશે. જાેકે ડરામણા સમાચારની વચ્ચે નાસાનો પ્લાન બી પણ સામે આવ્યો છે. સુનીતાની વાપસી માટે નાસા સ્પેસ-ઠની મદદ લેશે. સ્પેસક્રાફ્ટ રોકેટની મદદથી ૪ અંતરિક્ષયાત્રી અંતરિક્ષમાં જશે. ચારેય અંતરિક્ષયાત્રી બોઈંગ સ્ટારલાઈનરની ખામીઓને દૂર કરશે. મિશન અંતર્ગત અવકાશયાનના ઉપકરણોની તપાસ કરશે. જરૂર પડશે તો યાનના તે ઉપકરણોને બદલવામાં આવશે. ૩ વખત અંતરિક્ષમાં જઈ ચૂકેલી સુનીતા વિલિયમ્સને પહેલીવાર કડવો અનુભવ થયો છે. ત્યારે આશા રાખીએ કે ભારતીય મૂળની દીકરીની ઝડપથી પૃથ્વી પર પાછી આવે.
Recent Comments