રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટમાં નવો ઈતિહાસ સર્જાયો, ૧૧ મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરજ્જાે આપ્યો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક જ દિવસમાં ૧૧ મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરજ્જાે આપીને ઈતિહાસ રચ્યો છે. કોર્ટના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી માત્ર ૧૨ મહિલા વકીલોને જ વરિષ્ઠ વકીલનો દરજ્જાે મળ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં કુલ ૫૬ વકીલોને વરિષ્ઠ વકીલનો દરજ્જાે આપવામાં આવ્યો હતો. જેમાં ૧૧ મહિલા અને ૩૪ પ્રથમ પેઢીના વકીલોનો સમાવેશ થાય છે. આ ૧૧ મહિલા વકીલોમાં શોભા ગુપ્તા, સ્વરૂપમા ચતુર્વેદી, લિઝ મેથ્યુ, કરુણા નંદી, ઉત્તરા બબ્બર, હરિપ્રિયા પદ્મનાભન, અર્ચના પાઠક દવે, શિરીન ખજુરિયા, એનએસ નપ્પિનાઈ, એસ જનાની અને નિશા બાગચી છે.

જ્યારે પ્રથમ પેઢીના વકીલોમાં સૌરભ મિશ્રા, અમિત આનંદ તિવારી અને અભિનવ મુખર્જીનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટની આજે મળેલી ફુલ-કોર્ટ બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. એડિશનલ સોલિસિટર જનરલ અને સિનિયર એડવોકેટ ઐશ્વર્યા ભાટીએ મોટી સંખ્યામાં મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરજ્જાે આપવાના ર્નિણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે આ એક મોટું અને ઐતિહાસિક પગલું છે. આ મહિલા વકીલ માટે આદર દર્શાવે છે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે બે નિવૃત્ત જજ સહિત માત્ર ૧૨ મહિલાઓને જ વરિષ્ઠ વકીલનો દરજ્જાે આપ્યો હતો.

૨૦૧૯ માં, સુપ્રીમ કોર્ટે એક સાથે છ મહિલા વકીલો – માધવી દિવાન, મેનકા ગુરુસ્વામી, અનિતા શેનોય, અપરાજિતા સિંહ, ઐશ્વર્યા ભાટી અને પ્રિયા હિંગોરાનીને વરિષ્ઠ વકીલનો દરજ્જાે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ બનાવનાર પ્રથમ વકીલ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા હતા, જેઓ પાછળથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. સુપ્રીમ કોર્ટની રચનાના ૫૭ વર્ષ બાદ જસ્ટિસ મલ્હોત્રાને ૨૦૦૭માં વરિષ્ઠ વકીલ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ પછી ૨૦૧૩માં કિરણ સૂરી, મીનાક્ષી અરોરા અને વિભા દત્તા માખીજાને વરિષ્ઠ વકીલ બનાવવામાં આવ્યા, જેના કારણે વરિષ્ઠ વકીલોની સંખ્યા ચાર થઈ ગઈ. ૨૦૧૫ માં, વધુ બે મહિલા વકીલોને નોમિનેટ કરવામાં આવ્યા – વી મોહના અને મહાલક્ષ્મી પવાણી – કુલ છ થઈ ગયા. હાઇકોર્ટની બે નિવૃત્ત મહિલા ન્યાયાધીશોને પણ પાછળથી નામાંકિત કરવામાં આવી હતી. ૨૦૦૬માં જસ્ટિસ શારદા અગ્રવાલ અને ૨૦૧૫માં જસ્ટિસ રેખા શર્માને વરિષ્ઠ વકીલનો દરજ્જાે આપવામાં આવ્યો હતો.

Related Posts