ગુજરાત

સુરતથી સૌરાષ્ટ્રની ફલાઈટ શરૂ કરાઈ

સરકારની આ યોજનાથી રાજ્યમાં ખુબજ જડપી હવાઈસેવા છેવાડાના સુધી પહોંચી શકાશે અને ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશેજ પરંતુ તેની સાથે ઉધોગોને અને પ્રવાસન ઉધોગોને પણ ફાયદો થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના સ્વપ્ન મુજબ વેન્ચુરા એરકનેકટ દ્વારા તમામ કક્ષાના લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એક સરખો ભાવ માત્ર રૂ.૧૯૯૯ રાખવામાં આવ્યો છે.ગુજરાત સરકારની દુરદેશી પૂર્વકની નીતિઓ અને નાગરિક સુવિધામાં ઉમેરો કરવાની યોજનાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી પુર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જાેડવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વેન્ચુરા એરકનેકટ દ્વારા ૯ સીટર વિમાનો વડે સુરત થી અમદાવાદ, સુરત થી ભાવનગર, સુરત થી રાજકોટ અને સુરત થી અમરેલી આ ૪ સેક્ટર પર રોજની ફ્લાઈટ ચલાવવામાં આવી છે. જેથી ૪૫ મિનિટની અંદરથી સુરતી સૌરાષ્ટ્ર અને ૬૦ મિનિટમાં અમદાવાદ પહોંચી શકાશે. વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને ભારતમાં બીજા ક્રમે સ્થાપિત કરનારા સ્વચ્છતાના સૈનિકોને સુરતના આસ્માનમાં પ્રથમ હવાઈ યાત્રા કરાવી વિશિષ્ટ રીતે સન્માનિત કરવામાં આવેલ.

જેની સાથેસાથ હરહમેશ નાગરિકોની સુરક્ષા અને સેવામાં ખડેપગે તત્પર રહીને સુરત શહેરને કાઈમ કંટ્રોલ અને સર્વશ્રેષ્ઠ સિક્યુરિટી સિસ્ટમમાં પ્રથમ ક્રમે બિરાજિત કરાવનાર વીર પોલીસ જવાનોનું પણ પ્રથમ હવાઈ યાત્રા કરાવી સન્માન કરવામાં આવેલ સ્વચ્છ અને સુરક્ષિત સુરતનો નજારો હવાઈયાત્રા દ્વારા માણી શકે તે પ્રમાણે ઐતિહાસિક પ્રારંભ કરેલ છે. વેન્ચુરા એરકનેકટના વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉદ્દયન ભરશે અને સેક્ટર પ્રમાણે સુરત ભાવનગર-૩૦ મિનિટ, સુરત-અમરેલી- ૪૫ મિનિટ, સુરત-અમદાવાદ-૬૦ મિનિટ અને સુરત રાજકોટ-૬૦ મિનિટમાં પૂર્ણ થશે. આ પ્રસંગે સમાજસેવા માટે હંમેશા તત્પર રહેનારા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા અમરેલી એરપોર્ટ ખાતે પણ મુક-બધિર બાળકોને હવાઈસફર કરાવી વિશિષ્ટ રીતે નાગરિક સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Related Posts