ગુજરાત

સુરત ક્રાઇમ બ્રાન્ચે બનારસથી લાલુ જાલિમને ઝડપી પાડ્યો

ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા અમરોલીમાં માથાભારે લાલુ જાલિમને ઝડપી પાડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના બનારસ ખાતેથી લાલુ જાલિમને પકડી પાડી સુરત લઈને આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સક્રિય ગેંગનો સફાયો કરવા માટે રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા આતંકવાદ અ્‌ને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. અને અલગ અલગ ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનાઓ દાખલ કર્યા હતા જેમાં અમરોલી વિસ્તારના કુખ્યાત લાલુ જાલિમ ગેંગ સામે પણ ગાળિયો કસ્યો હતો. ફિલ્મી ડોન જેવી જિંદગી જીવતા જાલીમને પણ આખરે પોલીસ ઝડપી પાડ્યો હતો.

લાલુ જાલિમ, દિપક જાગીન્દર જયસ્વાલ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, નિલેશ ઉર્ફે મીયો દિલીપ, જગદીશ ઉર્ફે ભાઈ ચોટલી કરશન કંટારીયા, આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાંડે, નિકુંજ ઉમેશ ચૌહાણ, રવિ ઉર્ફે ધાનુ શાલીગ્રામ સીતારામ શિંદે, નયન વસંત બારોટ અને અવનેશકુમાર ઉર્ફે અન્નુ દશરથસીંગ રાજપુત સામે ગુનો નોંધ્યો હતો. ગીજસીટોકના ગુનો દાખલ થવાની સાથે જ લાલુ જાલિમ ફરાર થઈ ગયો હતો. પોલીસે જેતે સમયે તેના સાગરીતોની ધરપકડ કરી હતી.

જયારે નાસતા ફરતા લાલુ જાલિમને પકડવા માટે બાતમીદારોનું નેટવર્ક કામે લગાડ્યું હતું. એ.સી.પી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસ દરમ્યાન સ્ટાફના માણસોને એવી બાતમી મળી હતી કે લાલુ જાલિમ ઉત્તરપ્રદેશના બનારસ ખાતે છે. જે બાતમીને વર્કઆઉટ કરી એક ટીમ બનારસ ખાતે મોકલવામા આવી હતી. જે ટીમે બાતમીના આધારે બનારસથી લાલુ જાલિમને દબોચી લીધો હોવાનુ કહેવાય છે. પોલીસની ટીમ તપાસમાં યુપીમાં જ બાકીના તેના સાગરીતોને ઝડપી પાડવા માટે રોકાય હોવાનું કહેવાય છે. લાલુ જાલિમ ગેંગ સામે ૯૪ ગુના નોંધાયા છે.

Related Posts