અમરેલી

સેવાના સારથી મુકેશ સંઘાણીનાં સેવા સંકલ્પ પૂર્ણતા તરફ.. લોકસંત મોરારીબાપુ-પ્રદેશ પ્રમુખ પાટીલના સાનિધ્યમા તપોવન આશ્રમનું લોકાપર્ણ

સેવાભાવી યુવાનોના સ્વયંભૂ સહકાર સાથે સારહી ટીમ દ્રારા તડામાર તૈયારી કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, ઈફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્ય દંડક-ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ કસવાળા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પૂ.ભકિતરામ બાપુ–ભોજલધામ ફતેપુર, પૂ.વિજયબાપુ-સતાધાર, પૂ.ભકિતરામ બાપુ – માનવ મંદિર, સાવરકુંડલા મહાવિર બાપુ-દાનેવધામ, ચલાલા સહિતના સંતો આર્શિવચન પાઠવશે

સમાજને કાંઈક આપવુ, વિશીષ્ટ આપવુ, અવિરત આપવુ અને અસ્ખલીત આપવુ એવો વિચાર યુવાનીમાં મુકેશ સંઘાણીને સ્ફુર્યો અને તે વિચાર પુર્ણતાને આરે પહોચ્યો. જેનો સાક્ષી બનવા સમગ્ર જીલ્લો ઉત્સુક છે.

યુવાનોના માર્ગદર્શક મુકેશ સંઘાણીનું સેવા સ્વપ્ન સારહિ તપોવન સાકાર બની રહયુ છે. તા. ૧૦.૦૩.૨૦૨૪ ને રવિવાર ના રોજ બપોરના ૦૩.૩૦ કલાકે લોક સંત પૂજય મોરારીબાપુના વરદ્ હસ્તે લોર્કાપણ થવા જઈ રહયુ છે અને તે અંગેની તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ રહયો છે, કાર્યક્રમના નિમંત્રણ સમગ્ર જીલ્લામાં અપાઈચુકયા છે.

જીવન સંધ્યાએ પહોચેલા વડીલોની પુત્ર ભાવથી સેવા કરવાના સુંદર અભિગમ સાથે તૈયાર થઈ ચુકેલ સારહિ તપોવન આશ્રમના પ્રવેશતા વડીલો અહીં એક તપસ્વી તરીકેની અનુભુતી પામે તેવુ દિવ્ય વાતાવરણ અહીં આકાર લઈ રહયુ છે અને આ તમામ સેવાઓ નિઃશુલ્ક માનવ સેવાના અભિગમ સાથે કાર્યરત થવા જઈ રહયુ છે. આ કાર્યક્રમનું લોર્કાપર્ણ કે જેઓના હાથે ભૂમિપૂજન થયુ છે તેવા લોક સંત પૂ. મોરારીબાપુના કરકમળોથી સંપન્ન થશે.

આ તકે પૂ.ભકિતરામબાપુ ભોજલધામ ફતેપુર, પૂ.વિજયબાપુ- સતાધાર, પૂ.ભક્તિરામ બાપુ-માનવ મંદિર, સાવરકુંડલા મહાવિર બાપુ – દાનેવધામ, ચલાલા સહિતના સંતો આર્શિવચન પાઠવશે ઉપરાતં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, ઈફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રીઓ (નાયબ મુખ્ય દંડક) કૌશિકભાઈ વેકરીયા, મહેશભાઈ કસવાળા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સમગ્ર જીલ્લાની અંદર નિઃશુલ્ક સેવા કેન્દ્રનો થવા જઈ રહેલ પ્રારંભથી ભારે લોક ઉત્સાહ જોવા મહી રહયો છે આ અંગેની તડામાર તૈયારીઓ સેવાભાવિ યુવાનોની સ્વયંભુ ફોજ સાથે સમગ્ર સારહિ ટીમ દ્વારા રાત-દિવસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થાની સેવા પ્રવૃતિને અનેક સંસ્થાઓ, સામાજીક અને શૈક્ષણિક આગેવાનો નિહાળીને મુકેશ સંઘાણીની સેવા પ્રવૃતિને બિરદાવે છે. તેમ અખબારી યાદીના અંતમાં જણાવેલ છે.

Related Posts