અમરેલી

સેવા સેતુ કાર્યક્રમઃ ૨૦૨૪ – જનકલ્યાણલક્ષીવિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો હતો. મહત્વનું છે કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધાઓ સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે. સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે.

જાફરાબાદના ભાડા મુકામે સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૪ યોજાયો હતો, કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભાડા મુકામે સેવા સેતુ કાર્યક્રમમાં ૫૩૬ પશુઓને રસીકરણ (ડીવમીંગ), ૪૭૨ પશુઓને કાયમી રસીકરણ, આવકના દાખલાની ૫૨,  ૪૫ પશુઓની ગાયનેકોલોજિકલ સારવાર, ૪૩ પશુઓની મેડિસિન સારવાર,  આધાર કાર્ડ સુધારા (અપડેટેશન) ૪૩,   મિલકત આકારણી ઉતારા ૪૦ અરજી,  ૩૮ રાશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી સેવા,  આધારકાર્ડ નોંધણી ૩૫,   ૩૫ હેલ્થ વેલનેસ કાર્ડ અંતર્ગત ડાયાબિટિસ અને બી.પી. ચકાસણી,  જન્મ મરણના ૧૬ પ્રમાણપત્ર, લગ્ન નોંધણીના ૧૦ પ્રમાણપત્ર, રાશન કાર્ડમાં નામ કમી કરવાની ૦૬ અરજી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાની ૦૫ અરજી, રાશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૦૪ અરજી, રાશન કાર્ડમાં નામ સુધારો કરવાની ૦૨ અરજી સહિત ૧,૩૮૨અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.

Related Posts