અમરેલી

સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા સાયન્સ ક્ષેત્રે ફરી એક વખત સમગ્ર અમરેલી જિલ્લામાં અગ્રેસર

Physical Research Laboratory(PRL) દ્વારા તારીખ 22-01-2023ના રોજ બાલ વૈજ્ઞાનિક પ્રતિભાશોધ Screening Exam લેવાએલ જેમાં સમગ્ર અમરેલી જિલ્લામાંથી 3 વિદ્યાર્થીઓ પસંદગી પામેલ જે ત્રણેય વિદ્યાર્થીઓ પાઘડાળ બંસી, શિંગાળા સાવન, કુંભાણી યશ જેઓ શ્રી સ્વામિનારાયણ  ગુરુકુલ તરવડામાં સાયન્સમાં અભ્યાસ કરે છે.

ફરી એક વખત અમરેલી જિલ્લામાં તરવડા ગુરુકુલ સંસ્થાએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જે બદલ તરવડા ગુરુકુલ શિક્ષણ વિભાગ સંચાલક શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ ત્રણેય વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવેલ તથા સાયન્સ વિભાગ ટીમના ડો. રંગપરિયા મહેશ સર તેમજ સાવલિયા પિયુષ સરને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. જે બદલ આગામી તારીખ 25-02-2023ના રોજ National Science Day નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે સાયન્સ ઍક્ઝિબ્યુશનમાં સમગ્ર અમરેલી જિલ્લા વતી તરવડા ગુરુકુલ સંસ્થાની ટીમ પ્રતિનિધિત્વ કરશે.

Related Posts