ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં દર્દીનારાયણની નિઃશુલ્ક આરોગ્ય સેવાર્થે અમેરીકા નાં માનસિક રોગોનાં નિષ્ણાંત ડો. ભુપેન્દ્ર રાજપુરા સાહેબ તા. ૨ ડિસેમ્બર થી તા. ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ (૧૬ દિવસ માટે) દર્દીઓનાં નિદાન અને સા૨વા૨ ક૨વા માટે આવ્યા હતા. આ દિવસો દરમિયાન કુલ ૧૪૫ જેટલા માનસિક રોગોનાં દર્દીઓએ સારવારનો લાભ મળેલ હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ડો. ભુપેન્દ્ર રાજપુરા સાહેબ અમેરીકા થી છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે લગભગ બે અઠવાડીયા માટે આપણી હોસ્પિટલમાં દર્દીનારાયણની સેવાર્થે આવે છે.હોસ્પિટલ ટ્રસ્ટી મંડળ વતિ મેડીકલ સુપ્રિ.-ડો. નટુભાઇ રાજપરા અને મંત્રી-બી.એલ.રાજપરા દ્વારા ડો. ભુપેન્દ્ર રાજપુરા સાહેબ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતિ કલ્પનાબેન ભુપેન્દ્ર રાજપુરા નું મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨ી હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.
સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ માં ૧૬ દિવસ અમેરીકા નાં માનસિક રોગોનાં નિષ્ણાંત ડો. ભુપેન્દ્ર રાજપુરા ની તબીબી સેવાપ્રદાન બદલ સન્માન

Recent Comments