ગુજરાત

હાર્દિક પટેલ કોંગ્રેસ છોડવાના સંકેતો પર સંકેતો આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહે તેની નારાજગી અંગે નિવેદન આપ્યું

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પોતાને મજબૂત બનવાની તૈયારી કરી રહી છે. ત્યારે રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આંતરીક લોકશાહીને લઈને પ્રહારો કરતા કહ્યું કે હાર્દિકનું નિવેદન કોંગ્રેસની આંતરીક લોકશાહીને દર્શાવે છે ભાજપમાં કોઈ આવી રીતે બોલી બતાવે. હાર્દિક પટેલની નારાજગી મુદ્દે શક્તિસિંહે કહ્યું કે, હાર્દિક યુવાન નેતા છે તેની લાંબી કેરિયર છે. મેં તેને નાનાભાઈ જેમ રાખ્યો છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, જ્યારે ભાજપમાં કોઇ બોલી શકતું નથી. જોકે શક્તિસિંહે સલાહ આપતા કહ્યું કે, આંતરિક લોકશાહી છે પરંતુ શિસ્તમાં રહેવું જરૂરી છે. આંતરિક લોકશાહી અશિસ્ત સુધી ન જાય. પક્ષને નુકસાન થાય તેવું જાહેરમાં ન બોલવું જોઇએ. કોંગ્રેસમાં હીરો હોય, ભાજપમાં જઇને ઝીરો થયા છે. કેટલાક લોકો અનુભવ લઇને પાછા પણ આવ્યા છે. નારાજ લોકો અમારા સંપર્કમાં હોય છે. તે સિવાય વધતી મોંઘવારીને લઈને પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. સાથે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ સાથે ઉતરશે તેની પણ માહિતી આપી હતી.

Related Posts