હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણી શાંતીપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. આ દરમિયાન મોડી સાંજે મતગણતરીની શરુઆત હિંમત હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મોડી રાત્રી સુધી ચાલેલી મતગણતરી દરમિયાન ઉમેદવાર દ્વારા મતને લઈ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાક બેલેટ મતમાં ચોકડી લગાવવામાં ક્ષતિ કરી હોવાને લઈ રદ કરવામાં આવ્યા હતા. મતગણતરી વખતે પણ કેટલાક મતને લઈ વાંધા ઉઠવાને લઈ રજૂઆત કરવામાં આવી હતી.
આમ મતગણતરીને લઈ વાંધો ઉઠાવ્યા બાદ મામલો હવે ચેરીટી કમિશ્નરમાં પહોંચ્યો છે. જ્યાં સોમવારે બપોરે આ મામલે ર્નિણય લેવામાં આવી શકે છે. દાતા વિભાગમાં મતના તફાવતને લઈ માંગવામાં આવેલ રીકાઉન્ટીંગની માંગણીને લઈ ર્નિણય આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણીમાં ૬૮.૫૨ ટકા મતદાન થયુ હતુ. ચૂંટણીમાં ૩૪ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.
Recent Comments