અમરેલી

હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડના ડાયરેક્ટર તરીકે નિમણૂંક થતાં ડૉ. કાનાબારનો સન્માન સમારોહ યોજાયો

અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ભાવનગર જીલ્લા ભાજપના પ્રભારી, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રિક્ટના ચેરમેન ડૉ. ભરત કાનાબારની ભારત સરકારના સાહસ એવાં હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ થતાં અનુકંપા ટ્રસ્ટ અમરેલી દ્વારા ટ્રસ્ટના ફાઉન્ડર ડૉ. કાનાબાર સાહેબના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ. 

આ કાર્યક્રમમાં આધુનિક અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા અને માર્કેટ યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, રેડ ક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ડૉ. પિયુષ ગોસાઈ, ડૉ. અશોક પરમાર, ડૉ. હર્ષદ રાઠોડ, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા, એ.ડી.રૂપારેલ, બિપીનભાઈ ગાંધી, ડૉ. રાજુ કથિરિયા, જીતભાઈ દેસાઈ, તેજસભાઈ દેસાઈ, દિપકભાઈ વઘાસિયા, કમલેશભાઈ ગરાણિયા, શૈલેષભાઈ સંઘાણી, નરેશભાઈ કોરડિયા, પ્રફુલ્લભાઈ બાટવિયા, મનિષભાઈ મોરજરિયા, હરેશભાઈ સાદરાણી, યોગેશભાઈ કોટેચા, ટોમભાઈ અગ્રાવત, વિપુલભાઈ બોસમિયા, વિનુભાઈ ભાડ, અનિલભાઈ ઠાકર, કિશોરભાઈ મિશ્રા, મુનાફભાઈ કાજી, મન્સુરભાઈ ગઢિયા, લાલાભાઈ જોષી, તરંગભાઈ પવાર, પ્રશાંતભાઈ પરમાર વગેરે દ્વારા હજારો કાર્યકરોના આદર્શ-માર્ગદર્શક ડૉ. કાનાબારનું સન્માન કરી  ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી. આ સાથે જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અમરેલી નગરપાલિકાના સભ્ય તુલસીભાઈ મકવાણાના જન્મ દિવસ હોય કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અનુકંપાના ચેતન રાવળ, નયન બેદી, મધુભાઈ આજગિયા, ભાર્ગવ કારિયા, સન્ની  ધાનાણીએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન વિપુલ ભટ્ટીએ કર્યુ હતું.

Related Posts