અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે સમગ્ર અમરેલીની તમામ ઉત્સવ પ્રિય જનતા માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી-૨૦૨૨માં મુખ્ય ગાયક કલાકારોમાં પુનમબેન ગોંડલીયા, આશીષભાઇ હરીયાણી અને સંજયભાઈ બારોટની ઉપસ્થિતિમાં ગરબા રમવામાં આવે છે. આ ઉપરાંત તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી, તા.૦૨/૧૦/૨૦૨૨ ના રોજ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઇ આહિર તથા તા.૦૩/૧૦/૨૦૨૨ ના રોજ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ પધારેલ હતા. તેઓની સાથે સુમધુર સંગીતના તાલે ખેલૈયાઓ દ્વારા દાંડિયારાસની રમઝટ બોલાવી નવરાત્રીનો ભરપુર આનંદ માણવામાં આવેલ.
હિમકર સિંહ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે સમગ્ર જનતા માટે નવરાત્રીનું આયોજન

Recent Comments