આપત્તિ અને મુશ્કેલીના સમયમાં ૧૦૮ ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે. તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો. જેમાં પાલીતાણાની એક મહિલાને અચાનક જ પ્રસવ પીડા ઉપડતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવી પડે તેમ હતી.
પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામની ૨૫ વર્ષની સગર્ભા પ્રભાબેન સોલંકીનો કેસ મળતાં જ પાલીતાણા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી શ્રી કેવલ ડોડીયા અને પાયલોટ સંદિપસિંહ સોઢા તુરંત જ ગરાજીયા ગામ જવા માટે નીકળી ગયાં હતાં.
પાલીતાણાની હોસ્પિટલ સુધી પહોંચતા જ આ મહિલાને અચાનક પ્રસુતિના વધુ પ્રશ્નો પેદા થતાં તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. તેથી સમયનો તકાજો જોઈને એમ્બ્યુલન્સમાં આ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
૧૦૮ ની સમયસૂચકતાને કારણે અને તાત્કાલિક સારવાર મળવાને કારણે માતા અને બાળકી બંનેનો જીવ બચાવી શકાયો હતો.
સગર્ભાના પતિશ્રી જયસુખભાઈ સોલંકી એ ૧૦૮ ની આ ત્વરિત કામગીરીને બિરદાવીને ૧૦૮ સેવાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, જો સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર કરવામાં ન આવી હોત તો બાળક સાથે માતાનો જીવ પણ જોખમમાં મુકાઈ જાત.
રાજ્ય સરકારની ૧૦૮ની સેવાનો અમારાં જેવાં અનેક પરિવારોને લાભ મળે છે તેમ જણાવીને તેમણે રાજ્ય સરકારની આ અમૂલ્ય એવી મૂલ્યવાન સેવાનો આભાર માન્યો હતો.
Recent Comments