ગુજરાત

૧૪ માર્ચથી પરીક્ષાનો પ્રારંભ, ગાંધીનગરમાં ધોરણ ૧૦-૧૨ના કુલ ૪૯,૧૯૯ વિદ્યાર્થીઓ આપશે

ગુજરાતમાં ય્જીઈમ્ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે આગામી ૧૪ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે તે માટે બોર્ડ તરફથી વહેલા જ સમયપત્રક જાહેર કરી દેવામાં આવે છે. બોર્ડ તરફથી આપેલી માહિતી પ્રમાણે પરીક્ષાઓ ૧૪ માર્ચથી શરૂ થશે અને ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ સમાપ્ત થશે. જે અન્વયે ગાંધીનગરમાં ધોરણ – ૧૨ માં ૨૨,૧૨૧ અને ધોરણ – ૧૦ માં ૨૭૦૭૮ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૧૪ માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી ચાલશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૪ થી ૨૫ માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ ૧૦ની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૮ માર્ચ સુધી ચાલશે. જે અન્વયે ગાંધીનગરમાં ૩૩ સેન્ટરો ઉપર ધોરણ – ૧૦ની પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યું અનુસાર આ વર્ષે ધોરણ – ૧૦ માં કુલ ૨૭,૦૭૮ વિધાર્થીઓ પરીક્ષા આપશે.

જે પૈકી ગાંધીનગર પશ્ચિમમાં ૨૦ સેન્ટરોમાં કુલ ૧૩ હજાર ૬૨૨ તેમજ ગાંધીનગર પૂર્વમાં ૧૩ સેન્ટરો ઉપર કુલ ૧૩ હજાર ૪૫૬ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. એજ રીતે ધોરણ – ૧૨ સાયન્સમાં ૫ હજાર ૨૮૪ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. જે પૈકી ગાંધીનગર સિટીમાં ૪૫૩૨ વિધાર્થીઓ તેમજ ગાંધીનગર રૂરલમાં ૭૫૨ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૧૬ હજાર ૮૩૭ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જે પૈકી ગાંધીનગર સિટીમાં ૫ સેન્ટરો ઉપર ૭૫૧૭ વિધાર્થીઓ તેમજ ગાંધીનગર રૂરલ વિસ્તારમાં ૧૨ સેન્ટરોમાં ૯૩૨૦ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે.

Related Posts