રાષ્ટ્રીય

૧૯૬૦ના દાયકાથી કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિને ચૂંટણી જીતવા માટેનું હથિયાર બનાવ્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને નેતા પી.ચિદમ્બરમ પર નિશાન સાધતા કહ્યું હતું કે તુષ્ટિકરણની રાજનીતિ તેમની જીતનું હથિયાર છે. કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ કહ્યું કે ૧૯૬૦ના દાયકાથી કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિને ચૂંટણી જીતવા માટેનું હથિયાર બનાવ્યું છે. તુષ્ટીકરણમાં માનતી કોંગ્રેસને વિકાસના આધારે ચૂંટણી લડવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે અને તેથી તેઓ સતત ચૂંટણી હારી રહ્યા છે. તેઓ ફરી એકવાર તુષ્ટિકરણની રાજનીતિના આધારે આગળ વધવા માંગે છે, શા માટે? કારણ કે તેમણે તેમની લઘુમતી વોટબેંક મજબૂત કરવાની છે. ભાજપ પોતાના સિદ્ધાંતો પર અડગ છે. અમે કોઈની સાથે અન્યાય નહીં કરીએ, પણ તુષ્ટિકરણ પણ નહીં કરીએ. ૨૦૧૪થી પી.એમ નરેન્દ્ર મોદીએ વિકાસના એજન્ડાને લોકોના મનમાં સ્થાપિત કર્યો અને તેના આધારે દેશમાં ચૂંટણીઓ શરૂ થઈ. કોંગ્રેસ આનો સામનો કરી રહી છે.

કોંગ્રેસને ઝ્રછછ સામે શું વાંધો છે? ઝ્રછછ કોઈની નાગરિકતા નહીં છીનવે, તેઓ (કોંગ્રેસ) લોકોને ગેરમાર્ગે દોરે છે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિ કરીને ચૂંટણી જીતવા માંગે છે. જનતા કોંગ્રેસ પાર્ટીને સારી રીતે સમજી ચૂકી છે. શાહે કહ્યું કે જ્યાં સુધી ત્રણ કાયદા (ગુનાહિત કાયદા)નો સંબંધ છે, ચિદમ્બરમ પોતે સમિતિનો ભાગ હતા. આ અંગે તેમણે ઘણી વખત સકારાત્મક સૂચનો આપ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી. ત્રણ કાયદાઓ દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી આધુનિક બનાવશે. કોંગ્રેસ ભ્રષ્ટાચારના મામલામાં પરિણામ ઈચ્છતી નથી. તે ઇચ્છે છે કે ન્યાય બાકી રહે પરંતુ ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓ સ્પષ્ટ છે – દરેક નાગરિકને શક્ય તેટલા ઓછા સમયમાં ન્યાય મેળવવાનો બંધારણીય અધિકાર છે. અમે આવું કરવા માટે સમપિર્ત છીએ. કોંગ્રેસ ન તો સત્તામાં આવવાની છે કે ન તો ર્નિણયો લેવાની છે. હું દેશની જનતાને ખાતરી આપું છું કે, ઝ્રછછ યથાવત રહેશે અને ત્રણ (ગુનાહિત) કાયદા પણ લાગુ કરવામાં આવશે. દરેક નાગરિકને ૩ વર્ષમાં ન્યાય મળશે. આવી ન્યાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. દરેક શરણાર્થીને નાગરિકતા મળશે. તેના વિશે કોઈ શંકા નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ભારત ગઠબંધન સરકાર રચાય છે, તો સંસદના પહેલા જ સત્રમાં ઝ્રછછ રદ કરવામાં આવશે. કોંગ્રેસનો ઉદ્દેશ્ય ઝ્રછછને રદ્દ કરવાનો છે, પછી ભલે તે ઢંઢેરામાં હોય કે ન હોય. શાહે કહ્યું કે મને સમજાતું નથી કે કોંગ્રેસને ઝ્રછછ સામે શું વાંધો છે. ઝ્રછછ કોઈની નાગરિકતા નહીં છીનવે, તેઓ તુષ્ટિકરણની રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું કોંગ્રેસના નેતાઓને સૂચન કરવા માંગુ છું કે તમે ઘણી વખત ચૂંટણી હાર્યા છો, તુષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નીકળો અને વિકાસના એજન્ડા પર કામ કરવાનો પ્રયાસ કરો.

Related Posts