ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૨૦ મી જૂન ૨૦૨૪થી શરુ કરવામાં આવશે. રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતનો ૧૨૬૩૩ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે.
૨૦ જૂનથી મગની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાશે

Recent Comments