ભાવનગર

૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઘોઘા તાલુકા પંચાયત મેદાન ખાતે યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બે દિવસ પહેલાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ઘોઘા તાલુકામાં તાલુકા પંચાયત મેદાન ખાતે યોજાયો હતો. ગુજરાત કોળી યુવા સેના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા મંગળદીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્ડ દ્વારા અનેક જરૂરિયાતમંદ છેવાડાના માનવીઓને આ કાર્ડ આપવામાં આવ્યું છે અને આ કાર્ડની સહાય- મદદથી તેઓના અનેક ગંભીર પ્રકારના રોગોની સારવાર શક્ય બની છે અને તેમનો મહામૂલું જીવન બચાવી શકાયું છે. લોકો પહેલાં નાણાંના અભાવે સારવાર કરાવતાં ન હતાં. પરંતુ ગરીબ લોકો પણ હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં રૂ. પ લાખ સુધીની સારવાર નિઃશૂલ્ક કરાવી શકે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ આ અવસરે વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રતિકરૂપે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી જાનવીબા મહાવીરસિંહ ગોહિલ, મૂકેશભાઈ વેગડ, દિગ્વિજય સિંહ, પરબતસિંહ ગોહિલ તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર આરોગ્ય તંત્ર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ડૉ. પી.બી. બોરિચા, ડૉ. દિગ્વિજયસિંહ ગોહિલ, તાલુકા સુપરવાઈઝરશ્રી મહંમદભાઈ માંડરા તથા આરોગ્યની દરેક કેડર અને આશાફેસી બહેનોએ જહેમત ઉઠાવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. લખાણી અને તેમની ટીમ દ્વારા જરૂરી સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો.

Related Posts