તા. ૧૨ જૂન ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર ટેકઓફ થયાની ગણતરી ની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.
આ વિમાનમાં સવાર તમામ ૨૪૨ મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી હતી કે, પોલીસને વિમાનમાં ૧૧છ નંબરની સીટ પર એક જીવિત મુસાફર મળ્યો છે.
આ વિમાનમાં કુલ ૨૪૨ લોકોમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે મીડિયા ને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને ૧૧છ સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.‘ પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.
અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી ૧ મુસાફર જીવિત મળ્યો, ૧૧છ નંબરની સીટ પર બેઠો હતો

Recent Comments