સર્ટિફિકેટ ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી અપાશે
કુલપતિશ્રી ડૉ. ભરતભાઇ બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી
માહિતી બ્યુરો, ભાવનગર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી
યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાનાર હોઈ આ અંગે યુનિવર્સિટી કુલપતિશ્રી ડૉ.
ભરતભાઇ બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપી હતી.
કુલપતિશ્રી ડૉ. ભરતભાઇ બી. રામાનુજે જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના
કુલાધિપતિશ્રી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ તા. ૨૯-૦૪-
૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી,
ભાવનગર ખાતે યોજાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પદવીદાન સમારંભમાં ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ સિલ્વર મેડલ અને ૩૪ ગોલ્ડ
પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ ૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત કરવામાં આવશે. સમાન માર્ક્સ મેળવનાર
ચાર વિધાર્થીઓ વચ્ચે બે મેડલ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ડિગ્રી સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને એક જ સમયે
મળી રહે એ હેતુથી ડીજી લોકર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી
ભાવનગરના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી આપવામાં આવશે. વધુમાં
વર્ષ-૨૦૧૬ થી જૂન-૨૦૨૪ સુધીની કુલ-૭,૬૨,૭૮૮ માર્કશીટનો ડેટા ડીજી લોકર પરથી ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ
ડિગ્રી તેમજ માર્કશીટ ‘ડિજિટલ લોકર’ એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરી શકશે.
આ પદવીદાન સમારંભમાં ડૉ. અતુલ કોઠારી રાષ્ટ્રીય સચિવશ્રી, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ (નવી દિલ્લી)
મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. આ ઉપરાંત શ્રીમતી નિમુબેન બાંભણિયા રાજયકક્ષાના
મંત્રીશ્રી, ભારત સરકાર તથા સાંસદશ્રી ભાવનગર – બોટાદ, શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા રાજયકક્ષાના મંત્રીશ્રી, શ્રી
જીતુભાઇ વાઘાણી ધારાસભ્યશ્રી ભાવનગર (પશ્ચિમ), શ્રીમતી સેજલબેન પંડયા ધારાસભ્યશ્રી ભાવનગર (પૂર્વ), શ્રી
ભરતભાઇ બારડ મેયરશ્રી ભાવનગર મહાનગરપાલિકા, શ્રી જયવીરરાજસિંહ ગોહિલ યુવરાજસાહેબ, ભાવનગર સ્ટેટ
ઉપસ્થિત રહેશે.
કૌશિક શીશાંગીયા
સમાચાર સંખ્યા : ૨૭૫
પાલીતાણા ખાતે કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ
હુમલાના મૃતકો માટે પ્રાર્થના સભા યોજાઈ
કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોએ પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા
ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને
શ્રધ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આજે પાલીતાણા ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા
યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં
આવ્યું હતું.
જેમાં ભાવનગર શહેરનાં યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર સહિત પહેલગાંવ હુમલાના મૃતકોના
આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી તેમજ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આતંકવાદી
હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ વેળાએ કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના
વ્યક્ત કરી હતી.
પાલીતાણાની શ્રીમતી મણીબેન મેઘજીભાઈ શાહ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ધારાસભ્ય
સર્વેશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી,શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રીમતી સેજલબેન પંડ્યા,પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ
ઝડફીયા,પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી
એન.ડી.ગોવાણી સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, અગ્રણીઓ, નગરજનો બહોળી સંખ્યામાં
ઉપસ્થિત રહી તેમની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી.
Recent Comments