અમરેલી

આગામી ૨૮ એપ્રિલના લાઠી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત તથા ગ્રામ સ્વાગત કાર્યક્રમ માર્ચ-૨૦૨૧થી શરુ રાખવામાં આવે છે. જેના અનુસંધાને આગામી તા. ૨૮/૪/૨૦૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે લાઠી મામલતદાર કચેરી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. લાઠી તાલુકા કક્ષાના અધિકારવાળા સરકાર બાકી કામો અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો મોડામાં મોડા તા. ૧૮/૪/૨૦૨૧ ના ૧૫:૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી લાઠીને રૂબરૂ અથવા તો પોસ્ટમાં મળી જાય તે રીતે મોકલવાના રહેશે. સામુહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો જ રજૂ કરવાના રહેશે. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અવશ્ય લખવાનું રહેશે.

નોંધનીય છે કે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ સફળતા મળતા મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું આયોજન કરવામાં આવે છે.

Related Posts