અમરેલી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ  શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં કોવિડ આઈસોલેશન નો પ્રારંભ સુરત થી વતન ની વ્હારે આવેલ સાથી સેવાટીમ ના યુવા સેતુ ટ્રસ્ટ ની ટીમ અને ડો મહેશ પરવડીયા ડો સાગર જોશી પેરામેડીકલ ઝરખિયા પી એ સી સ્ટાફ ના સહયોગ થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ પૂજારી પરિવાર ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે ઉત્તમોત્તમ સુવિધા સાથે સંપૂર્ણ ની નિઃશુલ્ક કોવિડ સેન્ટર નો પ્રારંભ કરાવતા અમરેલી જિલ્લા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા.અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કંચનબેન ડેર. ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના જીવનભાઈ હકાણી. જીતુભાઇ ડેર. જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા. ભરતભાઈ સુતરિયા. લાઠી તાલુકા સદસ્ય ચિરાગભાઈ પરમાર. ભરતભાઇ બોદર. સરપંચ જોરુભાઈ. અમરશીભાઈ પરમાર.સુરેશભાઈ મિયાણી  સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી આરોગ્ય સેન્ટર શરૂ મુકાયું હતું ભુરખિયા ના યુવા સરપંચ અને સ્થાનિક યુવાનો ની ટીમ સ્વંયમ સેવકો ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટી કર્મચારી ઓ પૂજારી પરિવારો સહિત ની સતત ખડે પગે સેવા આપી રહ્યા છે  કોવિડ કેર સેન્ટર ના પ્રારંભ પ્રસંગે લાઠી મામલતદાર શ્રી તલસાણીયા સહિત આરોગ્ય કર્મી તબીબો પેરામેડિકલ દ્વારા ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન ના ચુસ્ત પાલન ની હિમાયત કરાય હતી કોવિડ 19 સામે લડત આપતા આરોગ્ય કર્મચારી અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા લોક ભાગીદારી સાથે શરૂ કરેલ આઈસોલેશન માં સેવારત કોરોના વોરિયર્સ નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું

Related Posts