ગુજરાત

કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા ધો.૧૨ની પરીક્ષા લેવાશેઃ રૂપાણી

સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જ ધોરણ દસમાં પરીક્ષા લેવાનું મુલત્વી રાખી તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની જાહેરાત કરી હતી. જાેકે, આજે સીએમે બારમા ધોરણની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી માસ પ્રમોશનની અટકળોને હાલ પૂરતી સમાપ્ત કરી દીધી છે.

Related Posts