સુરતના કાપોદ્રા, મહિધરપુરા અને સલાબતપુરા વિસ્તારમાંથી પોલીસે ૭૫માં સ્વતંત્રતા દિવસે જુગાર રમતા ૩૭ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં છે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને ૩ સ્થળેથી ૬૬૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જુગાર રમતા ઝડપાયેલા મોટાભાગના રત્નકલાકાર અને નાના વેપારીઓ હોવાનું જાણવા મળ્યું છે.
કાપોદ્રા સાઇનાથ સોસાયટી ખાતા નંબર ૫૨ની સામે જાહેરમાં, સ્નેહમુદ્રા સોસાયટી, બિલ્ડીંગ નં.૩૦-૩૧માં પહેલા માળે ડાયમંડના ખાતામાં, અને સાંઇનાથ સોસાયટી ખાતા-૪૯ ના ધાબા ઉપર જુગાર રમતા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની અલગ અલગ ટીમોએ રેડ કરી હતી. જેમાંથી ૨૦ જુગારીઓ ઝડપી પાડ્વામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ જુગારીઓ હીરાના રત્નકલાકાર હોવાનું જાણવા મળ્યું છે. જુગારીઓ પાસેથી રૂપિયા ૪૨૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે, હિરાબજાર શોચાલયની સામેની પટેલ ફરસાણની પાસે જાહેરમાં જુગાર રમતા ૭ જણા ને રોકડ રૂપિયા અને કિંમતી વસ્તુઓ મળી ૧૧૯૨૦ ન મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, મલબારી બાવાનો ટેકરો ઝુંપડપટ્ટી પાસે જુગાર રમતા હોવાની જાણ બાદ પોલીસે રેડ કરી હતી. જેમાં ૧૦ જણા ને રોકડ અને મુદ્દામાલ મળી ૧૧૪૨૦ પકડી પાડ્યા હતાં.
Recent Comments