ગુજરાત

માહિતી ખાતાની પરીક્ષામાં ડેડલાઈન ૪ ઓગસ્ટ નિયત થતાં અનેક ઉમેદવારો ગેરલાયક ઠરશે


કોરોનાના કારણે મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરાયા નહોતા અને ૦ ઓગસ્ટના રોજ મુખ્ય પરીક્ષામાં બેસવા લાયક ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી હતી. આ પરીક્ષામાં પત્રકારત્વનો અભ્યાસ કરતાં અનેક ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા પરંતુ તેમના હાથમાં છેલ્લા સેમ.ની માર્કશીટ આવી નથી અને આવી છે તો તેની તારીખ ૦૪ ઓગસ્ટ પછીની છે. જેથી પરીક્ષા સમિતીએ પરિણામની તારીખોમાં છુટછાટ નહી આપે તો અનેક ઉમેદવારોને અન્યાય થશે. કારણ કે, જાહેરનામાના નિયમ ૭માં એવી સ્પષ્ટતા કરી છે કે, લાયકાતની પદવીના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થનાર છે. પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ના હોય તેવા ઉમેદવારો પ્રિલિમિનરી પરીક્ષા માટે અરજી કરી શકશે,

પરંતુ તેઓએ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પદવી મુખ્ય પરીક્ષા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પ્રાપ્ત કરેલી હોવી જાેઈએ.ગુજરાતમાં માહિતી ખાતા દ્વારા તાજેતરમાં વર્ગ-૧, ૨ અને ૩ની મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની તારીખને લઈ મુખ્ય પરીક્ષા આપનાર અનેક ઉમેદવારો ડોક્યુમેન્ટ્‌સ વેરિફિકેશન દરમિયાન ગેરલાયક ઠરશે તેવી ચર્ચા થઈ રહી છે. કારણ કે, આ પરીક્ષામાં પત્રકારત્વના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં ઉમેદવારોએ પણ ભાગ લીધો હતો અને તેની છુટછાટ પણ આપવામાં આવી હતી. પરંતુ જાહેરાતમાં એવી જાેગવાઈ હતી કે, મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં શૈક્ષણિક લાયકાતની પદવી મુખ્ય પરીક્ષા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પ્રાપ્ત કરેલી હોવી જાેઈએ. મુખ્ય પરીક્ષાના ઉમેદવારોની યાદી ૦૪ ઓગસ્ટે જાહેર થઈ હતી. જેથી માહિતી ખાતુ ૦૪ ઓગસ્ટને જ પ્રમાણપત્રની ડેડલાઈન ગણશે તો અનેક ઉમેદવારોને અન્યાય થશે કારણ કે, આ સમય મર્યાદામા મોટાભાગની યુનિ.ના છેલ્લા સેમ.ના પરિણામ જાહેર થયા ન હોવાનું ઉમેદવારો જણાવી રહ્યાં છે.

Related Posts